મોરબી જીલ્લાના વાંકાનેરમાં એન.ડી.પી.એસ એક્ટના ગુન્હાના આરોપીને નામદાર સેશન્સ કોર્ટમા નિયમિત જામીન મંજૂર

મોરબી જીલ્લાના વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં NDPS Act ની કલમ 8(c), 20(b)ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી મનુભાઈ જાગાભાઈ પરમાર દ્વારા ગાંજો મોકલવામાં આવેલ હતો.તે મુદામાલ દેવરાજભાઇ મનજીભાઇ ચૌહાણ ના કબ્જા ભોગવટા માં મળી આવેલ હતો. તે મુદામાલ મનુભાઈ એ મોકલી આવેલ હતો.
ત્યારબાદ મનુભાઇ જાગાભાઈ પરમાર ના ચાર્જશીટ પેલા ની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટ, માં એડવોકેટ કેતન બી. ચૌહાણ, જય એમ. પરીખ,મારફત રેગ્યુલર જામીન અરજી કરી હતી અને સેસન્સ કોર્ટ દ્વારા ટંકારા ના યુવા વકીલ કેતન બી. ચૌહાણ દલીલો માન્ય રાખી આરોપીને 25,000/જામીન પર મુક્ત થવાનો હુકમ કરેલ.આરોપી તરફથી કેસમાં એડવોકેટ જય એમ. પરીખ,કેતન બી.ચૌહાણ, દેવજી આર. ચૌહાણ, વિશાલ ડી. યાજ્ઞિક અને સહાયક તરીકે રાકેશ ચાવડા, જય મહાલિયા, વિશાલ ખીટ રોકાયા હતા.

