માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી

ભારે વરસાદના કારણે મચ્છુનદીના એકીસાથે ૧૬ નાલા દશ દશ ફુટ ખોલતા બે કાઠે જતી મચ્છુનદીએ કાઠા મુકતા તારાજી સર્જાઈ

માળીયા મિંયાણામા ભારે વરસાદના કારણે મચ્છુનદી-૨ ડેમમા પાણીની આવક થતા ફરજીયાત મચ્છુ નદીના નાલા ખોલવાની જરુર પડતા શરુઆતમા તો વરસાદી પાણીની આવકથી માછીમારો અને ખેડુતોમા ખુશી જોવા મળી હતી પરંતુ વધારે વરસાદી પાણીની આવક મચ્છુડેમમા થતા એક સાથે ૧૬ નાલા દશ દશ ફુટ ખોલતા માળીયા મિંયાણા મચ્છુનદીએ કાઠા મુકી દેતા ખેડુતોના ઉભા ખેતરોમા મચ્છુનદીના પાણી ફરી વળતા જગતના તાતને ભારે નુકશાની વેઠવી પડી હતી

જેમા મચ્છુનદીના કાંઠે આવેલ કોબાવાંડ ખોડનીવાંઢ ખારાવાંઢ વિસ્તાર મોવરના ટીંબા વાંઢ વિસ્તાર બેંગવાંઢ વિસ્તાર સહિત માળીયા મિંયાણા ફતેપર વિરવદરકા જુનાનવા હંજીયાસર સહિતના ગામોમા ઉભાપાકમા મચ્છુનદીના પાણી ફરી વળતા ખેડુતોની મહેનત અને ખર્ચ મચ્છુનદીના પાણીએ પાણીમા ફેરવી દેતા ખેડુતોએ ભારે નુકશાનીનો સામનો કરવો પડયો હતો અને વાંઢ વિસ્તારમા રહેતા પરીવારોએ મચ્છુનદીના પણીથી બચવા ધર રેઢા મુકી રાત ઉજાગરા કર્યા હતા તો અમુક પરીવારોએ જીવના જોખમે ધરમા જ બેસીને આખીરાત જાગી મુશ્કેલીનો સામનો કર્યો હતો હવે સરકાર આ ખેડુતા વહારે જશે?કે પછી જગતના તાતને આ નુકશાની ભોગવવી પડશે તેવો લોકપ્રશ્ર ઉઠયો છે

