Skip to content
August 11, 2026
Advertisement
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ મોરબીમા આવતી કાલે જીલ્લાના તમામ વકિલો એક દિવસ અરજન્ટ કામ સિવાય કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી કલેકટરને આવેદન પત્ર પાઠવશે નામદાર ગુજરાત હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે તેવા હેતુથી મોરબી વકિલમંડળ કલેકટરને આવેદનપત્ર પાઠવશે માળીયામિંયાણાના ખાખરેચી ગામે તળાવ ઓવરફલો નવાનીરના કર્યા વધામણા..ખાખરેચી ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષો જુની પરંપરાને જાળવી લોહીનો અભિષેક કરાવીને નવાનીરના વધામણા કર્યા માળીયા મિંયાણાના ખીરઈ ગામના પુર્વ સરપંચશ્રી મહંમદબાપુ બુખારીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા સૈયદ પીરે તરીકત હાજી અબ્બાસમીંયા અકબરમીંયા બાપુના ગાદીનશીન મહંમદમીંયાબાપુ બુખારીનો જન્મદિવસ ખુશીથી ઉજવાયો રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડી-પાસાનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી કુલ રૂ.૪,૭૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાજકોટ રેન્જ ટીમ
Morbi

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગૂંજી ઉઠયુ હતું

આજ તારીખ 9 ઓગષ્ટ ૨૦૨૬ નાં દિવસે ટંકારા મુકામે વિશ્વ આદિવાસી દિવસની મહારેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મહારેલીમાં આદિવાસી સમાજનાં લોકો પોતાની ભાતીગળ વેશભૂષામાં જોવાં મળ્યા, તેમજ ભારતનાં રાષ્ટ્ર ધ્વજ તિરંગા સાથે નીકળેલી આ રેલી ટંકારા શહેરનાં મુખ્ય માર્ગોએ નીકળી હતી જેમાં આદિવાસી સમાજ સાથે દરેક સમાજનાં લોકો પણ ઝૂમી ઉઠયા પરંપરાગત તીર કમાન સાથે નીકળેલા લોકો આ રેલીનું મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં બિરસા મુંડાનાં નાદ અને ટીમલી સોંગની સાથે આખું ટંકારા શહેર ઝુમી ઉઠયુ તેમજ આ મહારેલી શાંત સ્વરૂપમાં નીકળી હતી વિશ્વ આદિવાસી દિવસ એ પૂરા વિશ્વમાં મનાવવામાં આવતો દિવસ છે, પૂરા વિશ્વમાં ઉજવવામાં આવતા તહેવારો જૂજ છે જેમાં વિશ્વ આદિવાસી દિવસ એ સૌથી મોખરે છે કારણ કે આખા વિશ્વમાં આદિવાસી લોકો પથરાયેલાં છે જે જળ, જંગલ, જમીન સાથે જોડાયેલા છે અને વિશ્વના પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા હોઈ ભારતના મૂળ નિવાસી છે આવાં મૂળનિવાસીઓની રેલી જે ટંકારા જેવા બિન આદિવાસી વિસ્તારમાં નીકળે એ ખરેખર ગૌરવની વાત છે

વર્ષોથી આદિવાસી મુવમેન્ટ સાથે જોડાયેલાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ જણાવે છે કે અમો છેલ્લા પાંચ વર્ષથી આ રેલીનું આયોજન કરીએ છીએ પરંતુ આજ દિન સુધી કોઈ અણબનાવ બનેલ નથી હાલમાં આ રેલીને જે સર્વ સમાજનો સપોર્ટ મળ્યો, તેમજ ટંકારા નગરપાલિકા કોર્પોરેટરો તેમજ તાલુકા જીલ્લા સદસ્યોએ મહારેલીને સન્માન સત્કાર કર્યા હતાં

આમ આ રેલીમાં હજારોની સંખ્યા હોવા છતાં ક્યાંય ટ્રાફિકને અડચણ વિના આ રેલી ટંકારાનાં મુખ્ય માર્ગો ઉપર ફરીને આંબેડકર ભવન પર સમાપન કરવામાં આવ્યું.
આ પ્રસંગે બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ તેમજ દિપકભાઈ ગોહેલ, લક્ષ્મણભાઈ વાણિયા, ડો. હરેશભાઈ પંડ્યા, રામશંકર વર્મા, મહેન્દ્ર ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં

આ કાર્યક્રમને સફળ બનાવવાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, લલિત પરમાર, કાનાભાઈ ગોહેલ, અરવિંદભાઈ ગોહેલ, નવઘણભાઈ ગોહેલ, જેસાભાઈ ગોહેલ, ગીનું મહીડા, નરસિંગભાઈ સંગોળ, પરવતભાઈ સંગોળ, વિક્રમભાઈ વસુનીયા, ઈશ્વરભાઈ ડામોર વગેરે એ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *