માળીયામિંયાણાના ખાખરેચી ગામે તળાવ ઓવરફલો નવાનીરના કર્યા વધામણા..ખાખરેચી ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષો જુની પરંપરાને જાળવી લોહીનો અભિષેક કરાવીને નવાનીરના વધામણા કર્યા

માળીયામિંયાણાના ખાખરેચી ગામે વેજલપર સહીત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખાખરેચી ગામના વિશાળ તળાવમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા એક જ દિવસમાં તળાવ ઓવરફલો થઈ જતા ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી જેથી ખાખરેચી ગ્રામજનો દ્વારા તળાવ સંપૂર્ણ ભરાઈને ઓવરફલો થતા નવાનીરના વધામણા કરવા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાખરેચી ગ્રામજનો દ્વારા ઢોલના તાલે વાજતે ગાજતે સામૈયા કરીને નવાનીરના વધામણા કરવા તળાવ કાંઠે પહોંચ્યા હતા જ્યાં શાસ્ત્રોકીય વિધિ મંત્રોચ્ચાર સાથે ક્ષત્રિય સમાજની વર્ષો જુની પરંપરા મુજબ તળાવમાં આવેલા નવાનીરને લોહીનો અભિષેક કરાવીને વધામણા કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છેકે તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે તળાવ એક જ દિવસમાં છલોછલ થઈ જતા ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી તળાવના વાજતે ગાજતે વધામણા કરવા ખાખરેચી ગામના સરપંચ દિનેશભાઈ પારજીયા અને ક્ષત્રિય સમાજ સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

