મોરબી વાધપરામા રહેતા ઈકબાલ હુશેનભાઈ ચાનીયાના સહેજાદા મહંમદઅલી ચાનીયાએ ચાર વર્ષની નાની ઉમરે રોઝુ રાખી પરવરદિગારની ઈબાદત કરી

મોરબી વાધપરામા રહેતા ઈકબાલ હુશેનભાઈ ચાનીયાના સહેજાદા મહંમદઅલી ચાનીયાએ ચાર વર્ષની નાની ઉમરે રોઝુ રાખી પરવરદિગારની ઈબાદત કરી

તાજેતરમા માહે રમઝાન માસના ઈબાદતના મહિનામા નાના ભુલકાઓથી માંડીને વૃધ્ધો સુધીના મુસ્લીમ બીરાદરો રમજાન માસના ધોમધખતા તાપમા સવારે શહેરી કરી રોઝા બંધ કરી સાંજ સુધી ભુખ્યા તરસ્યા રહી સાંજે રોઝા ખોલી ઈફતારી કરે છે અને પાંચ વખતની નમાઝ અદા કરી તરાબીની નમાઝ અદા કરી પરવરદિગારની બંદગી કરે છે

ત્યારે આ રમઝાનના પવિત્ર માસમા મોરબી વાધપરા શેરી નંબર ૮ મા રહેતા ઈકબાલભાઈ હુશેનભાઈ ચાનીયાના લાડકા સહેજાદા મહંમદઅલીએ ચાર વર્ષની ઉમરે ખુદાની બંદગી કરી હતી નાની ઉમરે ધોમધખતા તાપની ગરમીમા રમઝાન માસમા રોઝુ રાખી નમાઝ અદા કરીને ખુદાની બંદગી કરતા ચાનીયા પરીવારે મહંમદઅલીને ફુલહાર કરી સન્માન સાથે દુવાઓ માંગી રોઝુ ખોલાવ્યુ હતુ અલ્લાહ તઆલા ચાનીયા પરીવારને રમજાન મુબારકના સદકે રોઝીરોટીમા બરકત આપે અને હરબલા આફતથી બચાવે તેવી મોરબી માસ્ટરે દુવા માંગી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here