રાજકોટ રેન્જ હસ્તકના જીલ્લાઓમાં અનુસુચિત જાતિ/જનજાતિ ઉપર બનતા ગંભીર પ્રકારના બનાવો અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ રેન્જ દ્વારા રેન્જના પાંચ જિલ્લાઓમાં ૮૦૯-પોલીસ લોકદરબાર તથા ૪૪૫-મહોલ્લા વીઝીટની ખાસ ઝુંબેશ વાંચો ખાસ અહેવાલ
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના લોકો ઉપર અત્યાચારના બનાવો બનતા અટકે અને તેઓ ગંભીર પ્રકારના ગુન્હાનો ભોગ ન બને તે સારૂં એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જે ઝુંબેશમાં આ નીચે જણાવેલ વિગતેની અસરકારક કામગીરી હાથ ધરવામાં આવેલ છે
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ(પ) જીલ્લાઓ ખાતે તા.૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં રાજકોટ ગ્રામ્ય-૧૮, મોરબી-૮, જામનગર-૧૫, સુરેન્દ્રનગર-૨૦ તથા દેવભુમિ દ્વારકા જીલ્લાના-૮ પોલીસ સ્ટેશનો મળી કુલ-૬૯ પોલીસ સ્ટેશનોમાં આવેલ અનુસુચિત જાતિ/જનજાતિના લોકોના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે પોલીસ અધિક્ષકશ્રીઓ દ્વારા – ૬૭, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ દ્વારા – ૯૯, સી.પી.આઇ.શ્રીઓ દ્વારા – ૯૮ તેમજ થાણા અધિકારીશ્રીઓ દ્વારા – ૫૪૫ એમ મળી કુલ – ૮૦૯ લોકદરબારોનું મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવેલ છે ઉપરોકત ખાસ ઝુંબેશમાં પોલીસ સ્ટેશનોમાં આવેલ અનુસુચિત જાતિ/જનજાતિના લોકોના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે પોલીસ અધિક્ષકશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સી.પી.આઇ.શ્રી તથા થાણા અધિકારીશ્રીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના ગામડાઓમાં આવેલ અનુસુચિત જાતિઓના મહોલ્લાઓ પૈકી દેવભુમિ દ્વારકા જીલ્લા – ૬૦, જામનગર જીલ્લા – ૧૦૦, મોરબી જીલ્લા – ૫૫, રાજકોટ ગ્રામ્ય જીલ્લા – ૧૧૦ તેમજ સુરેન્દ્રનગર જીલ્લા – ૧૨૦ મળી કુલ ૪૪૫ અનુ.જાતિ મહોલ્લાઓની મુલાકાત કરવામાં આવનાર છેઉપરોકત ખાસ ઝુંબેશમાં જણાવેલ લોકદરબારમાં પોલીસને લગતી કામગીરી તેમજ જમીન/મિલ્કતની બાબતોમાં વર્ષોથી ચાલતા વિવાદોના મુળ સુધી ઉતરી તેનો યોગ્ય રીતે નીકાલ થાય તે હેતુસર અન્ય વિભાગો સાથે સંકલન કરી યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડી સમસ્યાઓના નિરાકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે ઉપરોકત ખાસ ઝુંબેશમાં લોકદરબાર દરમ્યાન સમાજમાં સામાજિક સમરસતા કેળવાઇ તે હેતુથી સમાજના તમામ વર્ગોને સાથે રાખી તેઓની તમામ સમસ્યાઓનુ નિરાકરણ કરવામાં આવશે ઉપરોકત ખાસ ઝુંબેશના ભાગ રૂપે તમામ જિલ્લાઓમાં સમાજના સામાજિક, ધાર્મિક તેમજ અન્ય આગેવાનોનો સમાવેશ કરી ગામ તેમજ શહેરમાં સમરસ સમાજનુ નિર્માણ કરવાનો હેતુ છે ઉપરોકત ખાસ ઝુંબેશમાં અનુસુચિત જાતિ/જનજાતિ તેમજ અન્ય સમાજની સમસ્યાઓને પ્રધાનતા આપવામાં આવશે.