મોરબી પંચાસર રોડ પર ભારતપરામા પાલીકાતંત્રની મનમાનીથી કાલે બુલડોઝર ફરી વળશે હિંન્દુ મુસ્લીમના ૩૦૦ ગરીબ પરીવારો ધર વિહોણા બનશે? પીજીવીસીએલની ટીમ આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો
મોરબી નગરપાલીકાની નોટીશનો જવાબ તેમજ પાલીકાતંત્રને લૈખિત રજુઆત અને કલેકટરશ્રી જી.ટી.પંડયાને આવેદનપત્ર આપી લૈખિત રજુઆત કરવા છતા ગરીબ પરીવારોની વેદના તંત્રે ધ્યાને ન લેતા લતાવાસીઓ રડી પડયા
મોરબી નગરપાલીકા તંત્ર દ્રારા ગરીબ અને લાચાર પરીવારો પર હળાહળ અન્યાય જુની માપણીને નેવે મુકી નવી માપણીમા જમીન કપાત વધાર્યુ એક જ સાઈડમા કપાતનુ સર્વે કરી લાચાર પરીવારો પર અન્યાય કરાતો હોવાનો લતાવાસીઓનો આક્ષેપ
મોરબી નગરપાલીકા તંત્ર કાલે સરકારશ્રી દ્રારા “હર ધર કો છત” આવાસ યોજનાનો ફિયાસકો બોલાવશે ૩૦૦ ગરીબ પરીવારોના આવસો પર કાલે બુલડોઝર ફરશે? આજે પાલીકાતંત્રની ટીમ અને પીજીવીસીએલ ટીમ લાઈટ મીટર કાપવા આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જેમા નગરપાલીકા તંત્ર દ્રારા મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા છેલ્લા ૪૫ વર્ષથી કાચા પાકા મકાન બનાવી ટકનુ કમાઈને ટકનો વેપાર કરી વસવાટ કરતા હિંન્દુ મુસ્લીમ ગરીબ પરીવારો જે છેલ્લા ૪૫ વર્ષથી લાઈટબીલ નગરપાલીકાનો વેરો આધારકાર્ડ રેશનકાર્ડ ધરાવતા હોવા છતા લાંબા સમય પછી પાલીકાતંત્ર જાણે ભરનિંદ્રામાથી ગરીબ લાચાર પરીવારોને હેરાન પરેશાન કરવા જાગ્યુ હોય તેવી રીતે રોડ કપાતની નોટીશ આપી તાત્કાલીક રહેણાંક ખાલી કરવાની સુચના આપતા ગરીબ પરીવારોની આંખમાથી આશુ સરી પડયા હતા આ રોડ કપાતમા જુની માપણીને નેવે મુકીને પાલીકાતંત્રએ નવી માપણીનુ સર્વે કરી એક જ સાઈડમા ૧૦૦ ફુટ કપાતનુ સર્વે કરી લતાવાસીઓ પર હળાહળ અન્યાય કરતા હોવાની બુમ ઉઠી છે ત્યારે આ ગરીબ પરીવારોને શિયાળાની ઠંડીમા રહેવા માટે અન્ય કોઈ સ્થળે જગ્યા ફાળવવામા આવી નથી કે વૈકલ્પીક વ્યવસ્થા પણ કરાઈ નથી જેથી લાચાર ગરીબ પરીવારો આ રોડના વિકાસના કામથી ઉપર આસમાન નીચે ધરતી જેવી ગંભીર હાલતનો સામનો કરવા જેવી પરિસ્થતિ ઉભી થઈ હતી