
મોરબીમાં પાટીદાર નવરાત્રીનું ભવ્ય આયોજન ૨૧ જેટલા શહીદ પરિવારો પણ આવશે, જે તમામને એક લાખની સહાય અપાશે, બાકીનું ફંડ માધવ ગૌ શાળામાં ખર્ચાશે કપાળે તીલક કરી એન્ટ્રી અપાશે જુઓ વીડીયો
પાટીદાર નવરાત્રી મહોત્સ્વમા ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈનાત રખાશે, બાળકો માટે ગેમઝોન પણ હશે
મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામેશ્વર ફાર્મ ખાતે પાટીદાર નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે એક નવો નિયમ કરવામાં આવ્યો છે. દરેક ખેલૈયાઓને કપાળે તિલક કરીને પ્રવેશ આપવામાં આવશે.
મોરબીમાં ધૂનડા રોડ ઉપર રામેશ્વર ફાર્મ ખાતે પાટીદાર નવરાત્રીના આયોજન અંગે અજયભાઈ લોરિયાએ જણાવ્યું કે આ સમગ્ર આયોજન શહીદ પરિવાર અને માધવ ગૌ શાળાના લાભાર્થે કરવામાં આવ્યું છે. અહીં ૨૧ જેટલા વીર શહીદ જવાનોના પરિવારજનોને લઈ આવવામાં આવશે. તેમનો આવવા જવાનો ખર્ચ પણ આ નવરાત્રી મહોત્સવ દ્વારા ઉઠાવવામાં આવશે. ઉપરાંત દરેક પરીવારજનોને એક લાખની સહાય પણ આપવામાં આવશે. જ્યારે બાકીનું ફંડ માધવ ગૌ શાળાના લાભાર્થે ખર્ચવામાં આવશે વધુમાં અજય લોરીયાએ જણાવ્યુ હતુ કે હાલ હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે તકેદારીના ભાગરૂપે ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવશે. ઉપરાંત તેઓએ કહ્યું કે આ નવરાત્રી મહોત્સવ ૧૫ મીથી શરૂ થવાનો છે. તે પહેલા ૧૪ મીએ પ્રિ નવરાત્રી યોજાશે.
આ નવરાત્રી મહોત્સવમાં એન્ટ્રી ગેટ ઉપર દીકરીઓના હસ્તે તમામ ખેલૈયાઓના કપાળે તિલક કરી આપવામાં આવશે. તિલક વગર કોઈ ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવશે નહિ અને જો કોઈ તીલક કર્યા વગર ગ્રાઉન્ડમા દેખાશે તો તેને બહાર કાઢી મુકવામા આવશે. વધુમાં તેઓએ કહયુ હતુ કે આ નવરાત્રી મહોત્સવમા નાના ભુલકાઓ માટે ગેમઝોન પણ છે. જે નિઃશુલ્ક રહેશે જેથી તમામને આ નવરાત્રી મહોત્સવનો લાભ લેવા અજય લોરીયાએ જણાવ્યુ હતુ