
રિપોર્ટ- સુરેશ ગૌસ્વામી મોરબી
રાજકોટના કુવાડવા નજીક સાયપર ગામે ટેકરી પર આવેલ સુપ્રસિધ્ધ શ્રી જંત્રેશ્ર્વર મહાદેવ મંદિરે સાતમ આઠમમા બે દિવસ ભવ્ય લોકમેળાનુ આયોજન
રાજકોટના કુવાડવા થી પાંચ કિલોમીટર એ આવેલા સાયપર ગામે ટેકરી પર આવેલા પ્રસિધ્ધ શ્રી જંત્રેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્ય માં તારીખ ૨૫/૦૮/૨૦૨૪ અને ૨૬/૦૮/૨૦૨૪ને સાતમ-આઠમ બે દિવસ ભવ્ય લોકમેળા આયોજન કરાયુ છે. અહીયા બિરાજમાન શ્રી કાળભૈરવ દાદા નો અનેરો મહીમા છે આ લોકમેળાનો દર વર્ષે પરમ્પરાગત રાજકોટ કુવાડવા સહીત આસપાસ ગ્રામજનો હાજરોની સંખ્યામાં લાભ લે છે મેળા ના આયોજન ને સફળ બનાવા ને લોકો વધુ ને વધુ મેળા નો લાભ લે માટે ગોસ્વામી સોમપરી પ્રેમપરી મહંત પરિવારો જહેમત ઉઠાવી રહ્યા છે.