માળીયામિંયાણાના મોટીબરારના સામાજિક કાર્યકરે પત્રકાર જીગ્નેશ ભટ્ટ સહીત ત્રણ વિરુદ્ધ બદનક્ષીના દાવામાં વ્યાજ સહીત વળતર ચુકવવા કોર્ટનો હુકમ

માળીયામિંયાણાના મોટીબરારના સામાજિક કાર્યકરે પત્રકાર જીગ્નેશ ભટ્ટ સહીત ત્રણ વિરુદ્ધ બદનક્ષીના દાવામાં વ્યાજ સહીત વળતર ચુકવવા કોર્ટનો હુકમ

મોટીબરાર ગામના સામાજિક કાર્યકરને વળતરની રકમ યોગ્ય ન લાગતા વધુ વળતરની માંગ સાથે કોર્ટમાં અપીલ કરશે ?

માળીયામિંયાણાના મોટીબરાર ગામના સામાજિક કાર્યકર ભુરાલાલ ખીમજીભાઈ મુછડીયાએ આરોપી સાંધ્ય દૈનિકના પત્રકાર જીગ્નેશ અનિલભાઈ ભટ્ટ અને સાંજ સમાચાર પબ્લિકેશનના તંત્રી પ્રકાશક તેમજ લાલજીભાઈ મહેતા વિરૂદ્ધ બદનક્ષી કર્યા હોવાનો દાવો વર્ષ ૨૦૧૩માં સાંધ્ય દૈનિક દ્વારા લખવામાં આવેલ સમાચાર બદલ થયેલ નુકશાન વિરૂદ્ધ વળતર મેળવવા મોરબી સિવિલ કોર્ટમાં દસ લાખના વળતર આપવા માટે દાવો કર્યો હતો જે કેસ મોરબીમાં ત્રીજા સિનિયર સીવીલ જજની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષની દલીલો સાંભળી ફરિયાદોનો દાવો યોગ્ય જણાતા દાવાને મંજૂર કરીને ૯ ટકા વ્યાજ સહીત વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે અને અરજદાર ભુરાભાઈ ખીમજીભાઈ મુછડીયાને તેની બદનક્ષી થયેલ છે તેવું સાબિત કરી નુકશાની પેટે રૂ.૧૧,૦૦૦ રકમ મજૂર કરી આ દાવો સિવિલ કોર્ટમાં જે વર્ષથી દાખલ થયો ત્યારથી અત્યાર સુધીના ૯ ટકા વ્યાજની રકમ તેમજ અરજદાર દ્વારા કરેલ ખર્ચ સહિત ચૂજવાવનો હુકમ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે જેમાં લાલજીભાઇ મહેતા ડ્રામા નાટકો ફિલ્મો બનાવવાના પબ્લીસી કરવાનો ફિલ્મી ઉદ્યોગ સાથે સંકળાયેલી વ્યકિત છે અને પત્રકાર તરીકે જાહેર ખબરો સમાચારો પેપરમાં પ્રસિધ્ધ કરવાનો કરાવવાનો વ્યવસાય કરે છે લાલજીભાઇ મહેતા અને જીજ્ઞેશ અનુભાઈ ભટ્ટ પોતાની પ્રસિદ્ધી માટે તેમજ પોતાના મહેર કરો મામાદેવ ફિલ્મની વધારે પડતી પ્રસિદ્ધ કરવાના ઈરાદે વાદી વિરૂદ્ધ ખોટા સમાચારો છાપામાં પ્રસિદ્ધ કર્યાં હતા જેનાથી વાદીની બદનામી થઈ હતી આમ પ્રતિવાદીઓના ગેરબંધારણીય અને ગેરકાનુની કૃત્યથી વાદીને બદનામ કરતા વાદી દ્વારા બદનક્ષીનો દાવો કરાયો હતો જેમાં ફિલ્મ મહેર કરો મામાદેવ નામની ફિલ્મ રીલીઝ કરવા સામે તેમજ વાદીના વડવાઓની વિરૂદ્ધ ફિલ્મ સ્ટોરીમાં વિધાનો આવતા હતા તેથી મનાઈ હુકમ મેળવવાના દાવા નં. ૧૨/૧૨થી માળીયાની કોર્ટમાં કેસ કરેલ હતો આ દાવાના કામે મનાઈ હુકમની માંગણી કરતી અરજી કરેલ હતી આ મનાઈ હુકમની અરજી માળીયાની દિવાની કોર્ટમાં ચાલી જતા મનાઈ હુકમની અરજી નામદર કોર્ટ દ્વારા રદ કરવામાં આવતા આ અરજી રદ કરવાના હુકમની જાહેરાત છાપામાં ખોટી રીતે પ્રસિદ્ધ કરી આ પ્રેસનોટમાં વાદી વિરૂદ્ધના ખોટા નિવેદનો અને વિધાનો પ્રતિવાદીઓ દ્વારા છાપવામાં આવતા આ સમાચાર છાપા દ્વારા સમાજમાં પબ્લીસ થતા લોકોએ સમાજે તથા કુટુંબના સભ્યોએ વાદીની વર્તણૂંકની નોંધ લઈ તેને બદનામ કરતા વૈપાર ધંધા કામકાજ કરવામાં વાદીને પછડાટ ખાવી પડી હતી સમાજના લોકો વાદીને શંકાની નજરે જોવા માંડયા અને છાપાના સમાચારની વિગતોએ વાદીને મંદિરે ચોરે ચોક બજારમાં બદનામ કરવા લાગતા વાદી તેમની જાતને આ ખોટા સમાચારો છાપામાં પ્રસિદ્ધ થતા સમાજમાં નીચા જોવાનો સમય આવ્યો હતો જેથી વ્યવહારી સામાજીક અને કૌટુંબીક રીતે બદનામી ઉપરોક્ત પત્રકાર સહીત ત્રણ વ્યક્તિના કૃત્યથી થઈ હોય જેથી વાદીની બદનામી બદલ ધંધાકીય વહેવારીક કે સમાજીક જે નુકશાની થયેલ છે તે બદલ વળતર મેળવા તા. ૦૯/૧૨/૨૦૧૩ના રોજ દાવો દાખલ કરવામાં આવ્યો હતો જે કેસ મોરબીમાં ત્રીજા સિનિયર સીવીલ જજની કોર્ટમાં ચાલી જતા વાદીના વકીલ દ્વારા બે મૌખિક પૂરાવા અને ૧૨ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા જ્યારે પ્રતિવાદીના વકીલે એક મૌખીક અને આઠ લેખિત પુરાવા રજૂ કર્યા હતા તેમજ બંને પક્ષોની દલીલ સાંભળી મોરબીમાં ત્રીજા સિનિયર સીવીલ જજની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષની દલીલો સાંભળી ફરિયાદીનો દાવો મંજૂર રાખી નુકશાની પેટે રૂ.૧૧,૦૦૦ રકમ દાવો દાખલ થયો ત્યારથી આજદિન સુધી ૯ ટકા વ્યાજ સહિત ચૂકવવા ત્રીજા એડિશનલ સિનિયર જજશ્રી દુર્ગેશ કનૈયાલાલ ચંદનાણી દ્વારા કરવામાં આવ્યો છે જોકે યોગ્ય વળતર અંગે અરજદાર ભુરાભાઈ ખીમજીભાઈ મુછડીયા વળતર અને ખર્ચ આપેલ છે તેનાથી સંતુષ્ટ ન હોય ઉપલી કોર્ટમાં યોગ્ય વળતરની માંગણી કરવા અપીલ કરશે તેવું જાણવા મળ્યું છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here