
મોરબી વાવડીરોડ પર આવેલ રવિપાર્ક સોસાયટીમા રહેતા ઈબ્રાહિમશા કાદરશાહ શાહમદારના સહેજાદા તાહિરે નાની ઉમરે રોઝુ રાખી પરવરદિગારની ઈબાદત કરી
તાજેતરમા માહે રમઝાન માસના ઈબાદતના મહિનામા નાના ભુલકાઓથી માંડીને વૃધ્ધો સુધીના મુસ્લીમ બીરાદરો રમજાન માસના ધોમધખતા તાપમા સવારે શહેરી કરી રોઝા બંધ કરી સાંજ સુધી ભુખ્યા તરસ્યા રહી સાંજે રોઝા ખોલી ઈફતારી કરે છે અને પાંચ વખતની નમાઝ અદા કરી તરાબીની નમાઝ અદા કરી પરવરદિગારની બંદગી કરે છે
ત્યારે આ રમઝાનના પવિત્ર માસમા મોરબી વાવડીરોડ પર આવેલ રવિપાર્ક સોસાયટી શેરી નંબર-૧ મા ઈબ્રાહિમશા કાદરશા શાહમદારના લાડકા સહેજાદા તાહિરેએ નાની ઉમરે ખુદાની બંદગી કરી હતી નાની ઉમરે ધોમધખતા તાપની ગરમીમા રમઝાન માસમા રોઝુ રાખી નમાઝ અદા કરીને ખુદાની બંદગી કરતા શાહમદાર પરીવારે તાહિરને પૈસાનોહાર પહેરાવી સન્માન સાથે દુવાઓ માંગી રોઝુ ખોલાવ્યુ હતુ અલ્લાહ તઆલા શાહમદાર પરીવારને રમજાન મુબારકના સદકે રોઝીરોટીમા બરકત આપે અને હરબલા આફતથી બચાવે તેવી મોરબી માસ્ટરે દુવા માંગી હતી