માળીયા મિંયાણા કોર્ટમા તાલુકા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

માળીયા મિંયાણા કોર્ટમા તાલુકા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે. ૧૯૭૩માં સૌપ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે.[૧] વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે, જેમાં દર વર્ષે ૧૪૩થી વધારે દેશો ભાગ લે છે. દર વર્ષે, આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિન-સરકારી સંસ્થાઓ, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે.ત્યારે આ અવસર પર માળીયા મિયાણા ખાતે માળીયા મિંયાણા તાલુકા કોર્ટ તાલુકા કાનૂની સેવાસત્તા મંડળ દ્વારા વિશ્વ પ્રિયાવરણ દિવસ ની વૃક્ષો રોપણ કરી ઉજવણી કરવામાં આવી જેમાં મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી.જે. જે. ગઢવી સાહેબ.માળીયા મિંયાણા કોર્ટ સ્ટાફ, વકીલ મંડળ, તાલુકા કાનૂની સેવાસત્તા મંડળ અરુણભાઈ સોલંકી, અબ્બાસભાઈ જામ તેમજ માળીયા મિંયાણા ફોરેસ્ટર શ્રી જે. એ. પીપળીયા સાહેબ તથા ફૉરેસ્ટર સ્ટાફ સહું સાથે મળીને મોટી સંખ્યા મા હાજર રહી વૃક્ષારોપણ કરી વિશ્વ પ્રિયાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here