
મોરબી જિલ્લા વકીલમંડળ દ્વારા અમદાવાદમા બનેલી દુખદ દુર્ધટના અંગે ધારાશાસ્ત્રીઓ મૃતકની આત્મા ને પરમકૃપાળુ શાંતી આપે તેવા હેતુથી શ્રધાંજલી સાથે શોક વ્યકત કરશે
અમદાબાદ ખાતે બનેલી વિમાન દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવા પડ્યા છે, જે સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશ માટે અત્યંત દુઃખદ ઘટના છે. મોરબી જિલ્લા વકીલમંડળ તરફથી આ ભયાવહ દુર્ઘટનાથી અમૂલ્ય માનવીય જાનહાનિ થયેલ હોવાથી ઊંડો શોક વ્યક્ત કરવામાં આવે છે.
અમે ભગવાન સમક્ષ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સર્વ દુર્ઘટનાગ્રસ્ત આત્માઓને શાંતિ અર્પે અને શોકસંતપ્ત પરિવારજનોને આ અઘરી ઘડીમાં સહનશક્તિ આપે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામને તત્કાલ અને પૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવી પણ પ્રાર્થના કરીએ છીએ.
ઠરાવ
પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા તમામ મુસાફરો ની આત્મા ને શ્રદ્ધાંજલિ આપવામાટે મોરબી જિલ્લા વકીલ મંડળ ના તમામ વકિલશ્રીઓ એ આવતી કાલે તારીખ 13/06/2025 ના રોજ સવારે 11:00 વાગ્યે શોકસભા માં શ્રદ્ધાંજલિ આપવા અર્થે મોરબી જિલ્લા વકીલ મંડળ રૂમમાં હાજર રહેવું….મોરબી જિલ્લા વકીલમંડળ