જૂનાગઢમાં મુસ્લિમો પર જાહેરમાં પોલીસદમન સામે દરગાહ તોડવાના મામલે મજેવાડી વિસ્તારમાં થયેલા ઘર્ષણનો મામલે ગુજરાત હાઈકોર્ટમા પી.આઈ.એલ દાખલ કાલે વધુ સુનવણી જુઓ વીડીયો

જૂનાગઢમાં મુસ્લિમો પર જાહેરમાં પોલીસદમન સામે દરગાહ તોડવાના મામલે મજેવાડી વિસ્તારમાં થયેલા ઘર્ષણનો મામલે ગુજરાત હાઈકોર્ટમા પી.આઈ.એલ દાખલ કાલે વધુ સુનવણી


MCCના કન્વિનર મુજાહિદ નફીસ દ્રારા કરવામા આવી રીટ પીટીશન માનવાધિકારના ભંગ બદલ જૂનાગઢ બહારના આઈ.પી.એસ.ને તપાસ સોંપવા માગ કરાઈ

જૂનાગઢમાં મજેવાડી પાસે સ્થિત ગેબનશા પીર મસ્જિદ (દરગાહ) પાસે બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં થયેલા પત્થરમારામાં ડીવાયએસપી ઘાયલ થયેલા અને એક વ્યક્તિનુ મોત થયેલું. આ મુદ્દે થયેલી એઆઈઆર બાદ જૂનાગઢ પોલીસે ૮થી ૧૦ લોકો સામે એફઆઈઆર નોંધેલી છે. આ પછી, પોલીસે એક તરફી કાર્યવાહી કરીને જાહેરમાં આ લોકો પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે. અટકાયત કરેલા લોકોમાં અંદાજે છ જેટલા બાળ આરોપીઓ પણ હતા. પોલીસે જે લોકોને જાહેરમાં માર્યા છે, તેનો વિડીયો પણ વાઈરલ થયેલો છે. વધુ સુનાવણી ૨૮ જૂને હાથ ધરાશે. અરજદારની માગ છે કે જૂનાગઢ પોલીસ દ્વારા લોકો પર આચરાયેલા આ દમનના મુદ્દે ડિસ્ટ્રિક્ટ જજ પાસે તપાસ કરાવો અને રિપોર્ટ મગાવો, જૂનાગઢ રેંન્જ કે જિલ્લા બહારના આઈપીએસ અધિકારી પાસે પોલીસના આ અત્યાચાર, શંકાસ્પદ કે આરોપીની મિલકતોને નુકસાન પહોંચાડવા મુદ્દે તપાસ કરાવો અને રિપોર્ટ મગાવો. જવાબદાર પોલીસ કર્મી સામે એફઆઈઆર નોંધવા નિર્દેશ આપો.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here