રક્ષાબંધનના પર્વમા આખો દિવસ ઉજવવા વિજ્ઞાન જાથાની અપીલ રક્ષાબંધને ભદ્રાદોષને દફનાવી રાખડી બાંધવી… વિજ્ઞાન જાથા

રક્ષાબંધનના પર્વમા આખો દિવસ ઉજવવા વિજ્ઞાન જાથાની અપીલ રક્ષાબંધને ભદ્રાદોષને દફનાવી રાખડી બાંધવી… વિજ્ઞાન જાથા

રાખડી બાંધવામાં મુર્હુત-ચોઘડીયાની જરૂર નથી… જયત પંડયા જયોતિષીઓ ના મતમતાંતરથી લોકો બોધપાઠ શીખેભદ્રકાલ બલા નડવાનું જ કામ કરે છે. ભાદોષ નર્યુ તુત છે બુધવાર સવારે ૯ કલાકે સામુહિક રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાશે

કુદરતના નિયમાનુસાર દર મિનિટે શુભ-અશુભ ઘટના બને છે. જયોતિષીઓના ફળકથનોનો હોળી કરી સુત્રોચ્ચાર કરવામાં આવશે.૨૧ મી સદીમાં મુર્હુત-ચોઘડીયાને અનુસરવું બેવકુફીનું પ્રદર્શન… જાથા

ભારતમાં સદીઓથી જ્યોતિષીઓ ચોપડીનોઆધારમુકીત્યૌહાર–ઉત્સવો અને પર્વની ઉજવણી પ્રસંગે ભદ્રાકાલ, ભદ્રાદોષ જાતજાતના ગતકડા મુકી લોકોમાં અસંમનજસ, દ્વિધા, શંકા-કુશંકા ઉભી કરી રાખડી બાંધવાનો સમય લોકોના માથા ઉપર મુકી ભ્રામકતા ઉભી કરે છે તેનો ભારત જન વિજ્ઞાન જાથા ૨જય કચેરી સદૈવ વિરોધ કરી કડક શબ્દોમાં આલોચના કરે છે. રક્ષાબંધન પર્વ તા. ૩૦ મી બુધવાર આખો દિવસ બહેન ભાઈને રાખડી બાંધી શકે છે. ૨૧ મી સદીમાં મુર્હુત–ચોઘડીયાને અનુસરવું બેવકુફીનું પ્રદર્શન જાથા માને છે. રાજકોટ ખાતે સામુહિક રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાવાનો છે.

વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રક્ષાબંધને જ્યોતિષીઓ ભદ્રાવિષ્ટિ, ભદ્રાદોષ, ભદ્રાકાલ, યોગ-કરણ, તિથિ ઉદિતનું કારણ મુકી રાખડી બાંધવાનો જ્યોતિષીઓ સમય જાહેર કરે છે જે નોં બકવાસ છે. માનસિક નબળા લોકો તેનું અનુકરણ કરે છે જે ઘાતક સાબિત થાય છે. તા. ૩૦ મી ઓગસ્ટ બુધવાર સવારથી મોડી રાત્રિ સુધી પરિવારની અનુકુળતા મુજબ રાખડી બાંધી શકે છે તેમાં કોઈ શંકા-કુશંકા કરવાની જરૂર નથી. લોકોએ સવારે ચૌદશ કે પૂનમ હોય તે જોવાની જરૂર નથી. લાગણી-પ્રેમ-સ્નેહના તાંતણે બહેન ભાઈને રાખડી બાંધી શકે છે. ભારતના જ્યોતિષીઓમાં પણ મતમતાંતર જોવા મળે છે, તેના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે. અમુક સવા૨ે રાખડી બાંધવાની તરફેણ કરે છે જયારે બીજા નિષેધ માને છે. બેમાંથી કર્યો જયોતિષી સાચો તેવા સવાલ કરવાની જરૂર છે. બુધવાર રાત્રિના ૯ પછી કોઈ રાખડી બાંધવા જાય નહિ. ગુરૂવાર સવારના ૭ સુધી ભલે પુનમ હોય તેમા રાખડી બાંધવા જઈને કોઈનો દિવસ બગાડાય નહિ તેવું જાયા માને છે. રાત્રિના રાખડી બાંધવા જવું ડહાપણ નથી. આખો દિવસ રાખડી બાંધી શકાય છે. માત્ર જયોતિષીઓ જ નડે છે વધુમાં જયંત પંડયા જણાવે છે કે વૃશ્ચિકી નામની ભદ્રા કોને કહેવાય તે આમ જનતાને કંઈપણ ખબર નથી. સદીઓ પહેલા લખાયેલી ચોપડી વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે તેથી માનવાની જરૂર નથી. ધર્મ સિંધુ ગ્રંથોની અત્યારે કાંઈ જરૂર નથી. મુશ્કેલીના સમયે આવા ગ્રંથો કાંઈ કામ આવતા નથી. ગ્રંથો નડવાનું બંધ કરે છે તો લોકો ઉપર ઉપકાર ગણાશે. લોકોનુ ઉત્થાન, પ્રગતિ થાય તેવા ગ્રંથોની જરૂર છે. જયોતિષમાં માનવું એક પ્રકારની અંધશ્રદ્ધા છે. કોરોના-કુદરતી આપત્તિ વખતે આ જયોતિષ કયાં સંતાય ગયું હતું. ધાર્મિક સ્થાનો બંધ રહ્યા, કોઈએ ખોલવાની ઉતાવળ કરી ન હતી તેમાંથી ધડો લેવો જોઈએ. જોતિષમાં શ્રદ્ધા બરબાદીને આમંત્રણ તેવું જાથા દ્રઢપણે માને છે

વિશેષમાં એડવોકેટ પંડયા જણાવે છે કે આધુનિક અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવી જોઈએ. ભાવિ પેઢીને ધ્યાનમાં રાખી લોકોએ નિર્ણય કરવો જોઈએ. રાજકોટ ખાતે જાથાનો રાજયકક્ષાનો કાર્યક્રમમાં બુધવાર સવારે ૯ કલાકે સામુહિક રક્ષાબંધન પર્વ મનાવવામાં આવશે. જેમાં બહેનો ભાઈને રાખડી બાંધી શુભકામના પાઠવશે. જયોતિષીઓના નકારાત્મક ફળકથનોની હોળી કરી તેની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવશે. ફળકથનોને બાળીને ભસ્મ કરી પોંક મુકવામાં આવશે. લેભાગુઓનો દેશવટો કરવો જે લોકોના હિતમાં છે તેવું મંતવ્ય વ્યક્ત કરવામાં આવશે. સદીઓથી ત્યૌહારો, ઉત્સવોમાં નડતા લેભાગુઓ અને તેની દુકાનોનો બહિષ્કાર કરવો તે સમાજની નૈતિક ફરજ છે. બુધવારે ચૌદશનો ભાગ છે તેની ચિંતા કરવાની જરૂર નથી. આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવા જાથા અપીલ કરે છે. પૃથ્વી ઉપર દર મિનિટે શુભ-અશુભ, લાભ-નુકશાન, હોની–અનહોની, કુદરતી પ્રાકૃતિક નિયમ અનુસાર ઘટના બને છે તેને કોઈ રોકી શકતુ નથી. અકસ્માત બને છે તે રોજીંદી પ્રક્રિયા બની ગઈ છે તેથી શંકા કરવાની જરૂર નથી.

રાજયમાં તમામ જિલ્લા મથકે બુધવાર સવારે ૯ થી ૧૦ વચ્ચે રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાશે તેમાં જિલ્લાના રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, કચ્છ ભુજ, અરવલ્લી મોડાસા, આણંદ, ખેડા નડીયાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, તાપી વ્યારા, દાહોદ, નર્મદા રાજપીપળા, નવસારી, પાટણ, પંચમહાલ ગોધરા, બનાસકાંઠા પાલનપુર, ભરૂચ, મહિસાગર લુણાવાડા, મહેસાણા, વડોદરા, વલસાડ, સાબરકાંઠા હિંમતનગર, સુરત જિલ્લાઓમાં કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.જાથાના દિનેશ હુંબલ, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, રવિ પરબતાણી, નિર્મળ મેત્રા, રાજુ યાદવ, વિનોદ વામજા, અશ્વિન કુગશીયા, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, જે. ડી. ઢોલરીયા, કાર્તિક ભટ્ટ, સાહિલ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રામભાઈ આહિર, વિક્રમ આહિર, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ સહિત કાર્યકરો રક્ષાબંધન પર્વની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે અંતમાં રક્ષાબંધન પર્વ શંકા-કુશંકાને તિલાંજલિ આપી બુધવાર તા. ૩૦ મી આખો દિવસ રાખડી બાધવા માટે શુભ–ઉત્તમ છે તેથી ભાઈને રાખડી બાંધવા જાથા અપીલ કરે છે. માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here