
માળીયા મિંયાણાના વવાણીયા ગામે હઝરત પીર સૈયદ અબ્બાસમીંયાબાપુ (ર.અ.) નો બીજો ઉર્ષમુબારક ધામધુમથી ઉજવાશે
ઉર્ષમુબારકના દિવસે મસ્જીદે થી ચાદરશરીફ વાજતે ગાજતે નીકળશે તેમજ રાજકોટ કે.જી.એન.ગૃપ દ્રારા નાતશરીફની ધુમ બાદ સાંજે મગરીબની નમાઝ બાદ આમ ન્યાઝશરીફ રાખી ઉર્ષની ઉજવણી કરાશે
માળીયા મિંયાણા તાલુકાના ખીરઈ ગામના રહીશ હઝરત પીર સૈયદ અબ્બાસમીંયા બાપુ (ર.અ.)નો બીજો ઉર્ષમુબારક તારીખ- ૪-૪-૨૦૨૫ને શુક્રવાર ચાંદ ૫ શવ્વાલ ના રોજ વવાણીયા ગામે મોટાપીરની દરગાહના ગ્રાઉન્ડમા ઉજવાશે આ ઉર્ષમુબારકના ખુશીના દિવસે સાંજે ૪:૦૦ કલાકે વવાણીયા મસ્જીદથી વાજતે ગાજતે ચાદરશરીફ નીકળશે અને ચારદપોશી દુવાસલામ બાદ રાજકોટના મશહુર કે.જી.એન.નાતખ્વા ગૃપ ટીમ દ્રારા નાતશરીફની ધુમ મચાવશે અને ત્યારબાદ સાંજે મગરીબની નમાઝ બાદ આમ ન્યાઝશરીફ રાખી ધામધુમથી ઉર્ષમુબારકની ઉજવણી કરવામા આવશે
ત્યારે આ ઉર્ષમુબારકના ખુશીના દિવસે તમામ મુસ્લીમ બિરાદરો ચાહકો અને મુરીદોએ આ ઉર્ષમા પધારી શવાબ હાંસીલ કરવા આયોજક સૈયદ ઈશાકમીંયા (ડાડાબાપુ) અબ્બાસમીંયાબાપુ- સૈયદ ઉમરમીંયા અબ્બાસમીંયાબાપુ- સૈયદ રજાકમીંયા અબ્બાસમિંયાબાપુ- સૈયદ અલીમીંયા અબ્બાસમીંયાબાપુ- સૈયદ મહંમદમીંયા અબ્બાસમીંયાબાપુ દ્રારા તમામને પધારવા અપીલ કરવામા આવે છે