મોરબીમા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્રારા વિશ્ર્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે ભવ્ય રેલી કાઢી સંદેશ પાઠવવા પ્રયાસ કર્યો હતો

મોરબીમા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્રારા વિશ્ર્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે ભવ્ય રેલી કાઢી સંદેશ પાઠવવા પ્રયાસ કર્યો હતો

મોરબીમા વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે સવારે 9 થી 11 દરમ્યાન ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી થી નવા બસસ્ટેશન, બાપા સીતારામ ચોક, અવની ચોકડી, ઉમિયા સર્કલ થઈ પાછા ચેતના કેન્દ્ર આ રૂટ પ્રમાણે રેલીનુ આયોજન ગાયત્રી પરિવાર મોરબી દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં રસ્તામાં પોસ્ટરો દ્વારા લોકો ને વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો તેમજ 3000 જેટલી વ્યસન મુક્તિની પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ડોક્ટર સતિષ પટેલ દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો અને વાંકાનેરથી આવેલા ધર્મેન્દ્ર સિંહ ઝાલા જે પોતે વ્યસન મુક્તિ માટે ખૂબ સારું કાર્ય કરે છે એમને પણ એમના વિચારો રજૂ કર્યા હતા. સંગીત સાથે વ્યસન મુક્તિના સૂત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા.. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નીચે ના વ્યક્તિ અને સંગઠનો નો સહયોગ પ્રાપ્ત થયો હતો.

જેમા ડૉ.જયંતિભાઈ ભાડેશિયા
ડૉ.જયેશભાઈ પનારા (અધ્યયન મંડળ) આર. એસ. એસ.જીલેશભાઈ કાલરીયા (વિશ્વ હિન્દુ પરિષદ)
મણીભાઈ સરડવા (મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ) -સ્વદેશી જાગરણ મંચ – જિલ્લા પંચાયત મોરબી -અર્બન હેલ્થ સેન્ટર ગોકુળ નગર ગાયત્રી શક્તિ પીઠ વાંકાનેર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ -એકતા કોમ્પ્યુટર -ક્રાંતિકારી સેના -આર્ય સમાજ મોરબી તમામે સાથ સહકાર સાથે હાજરી આપી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here