
મોરબીમા મહાનગરપાલીકા કમીશ્નરની તાનાશાહી સામે વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સંગઠનમા રોષ ફેલાયો
મોરબી મહાનગરપાલીકાના કમિશનરશ્રીએ આવેદન પત્ર અન્ય અધિકારીને આપવાનુ કહેતા હિંન્દુ સંગઠનમા ભારે રોષ ફેલાયો હતો
મોરબીમા હિંન્દુ સંગઠનના પ્રખંડ જવાબદાર કાર્યકરો દ્રારા શહેરીજનોના પ્રશ્રોની રજુઆત કરી આવેદન પાઠવવા ગયા ત્યારે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને રૂબરૂ મળી અને આવેદન પાઠવી રજુઆત કરવા ગયેલ કાર્યકરોને કમીશનરશ્રી એ અન્ય અધિકારીને આવેદન આપો પછી હુ જાણી લઈશ તેવો પ્રશ્ર કરતા હિંન્દુ સંગઠનમા ભારે રોષ ફેલાયો હતો અને મોરબી મહાનગરપાલિકાની તાનાશાહી સામે વિરોધમાં આવેદનપત્ર આપેલ હતું વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લાના પ્રખંડના જવાબદાર વ્યક્તિ તથા બજરંગદળના કાર્યકરો
ને મળવામાં જો આવો વહેવાર કરવામાં આવતો હોય તો મોરબીની જનતા સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હશે સ્પષ્ટ દેખાય રહ્યું છે અમોને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી દરેક સરકારી કર્મચારી લોકોના સેવક છે. સોમવારે લોકોને મળવાનો સમય ખુદ એમને જ આપ્યો હોવાથી અમો આજ આવેદનપત્ર આપવા ગયેલ હતા. અમો જ્યારે અરજદાર આવેદનપત્રનું લખે ત્યારે કમિશનરને જ મળી ને રજૂઆત કરે એમના અન્ય અધિકારીને મળવાનુ કાઈ કારણ જ નથી જ્યારે આપણા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી પણ બધાંને મળતા હોય અને આપણા મોરબી જીલ્લાના કલેક્ટર પણ સીધા બધાને મળતા હોય તો એક મહાનગરપાલિકાના કમિશનરશ્રીને મળવામાં શું વાંધો હોય શકે? આ વિષય પર જરૂર પડ્યે વિશ્વ હિન્દુ પરિષદ પત્રકાર પરિષદ પણ આ બાબતે કરશે તેવુ જણાવ્યુ હતુ