
રિપોર્ટ- અલપેશ સુરેશગીરી ગૌસ્વામી
મોરબીમાં રવિવારે દશનામ ગોસ્વામી સમાજનો પંદરમો ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાશ
મોરબીમાં શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી ટીમ દ્વારા મોરબી દશનામ ગોસ્વામી સમાજના પંદરમા સમુહ લગ્નોત્સવનું આયોજન તા.૨૨-૨-૨૬ રવિવારે સવારે ૯ વાગ્યે મોરબીના શ્રી રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી -૨ ખાતે યોજાશે આ સમુહલગ્ન માં પ યુગલો લગ્નગ્રંથિ માં જોડાશે સમુહલગ્ન માં કન્યાઓને કરિયાવર માં સોના-ચાંદી ના દાગીના સહિત ૮૯ ચીજવસ્તુઓ ભેટ આપવા માં આવશે
આ સમુહ લગ્નમાં સંતો મહંતો સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના
દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહેશે આ સમુહ લગનનું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી છેલ્લા ૧૫ વર્ષથી
સફળતા પુર્વક કરવામાં આવે છે.


























