
મોરબીમાં આઈશ્રી સોનલમાઁ મંદિરનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહભેર યોજાશે લોકસાહિત્યકાર હાસ્ય કલાકારો સાથે સંતવાણીના કાર્યક્રમમા બ્રિજરાજદાન ગઢવી અને હકાભા ગઢવી જમાવટ કરશે
મોરબીના સમસ્ત ચારણસમાજ દ્રારા તા.૨૫-૬ ૨૦૨૩ ને રવિવાર થી તા.૨૭-૬ મંગળવાર સુધી આઈશ્રી સોનલમાઁ મંદિરે ચારણ સમાજની વાડી, લીલાપર રોડ, ગૌશાળા સામે મોરબી ખાતે સોનલમાઁ મંદિરનો ત્રીદીવસીય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામા આવશે જેમા શાસ્ત્રી જીજ્ઞેશભાઇ પંડયાના આચાર્યપદે પ્રાણપ્રતિષ્ઠાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
આ કાર્યક્રમના પ્રથમ દિવસે તા.૨૫ ને રવિવારે સાંજે ૫ કલાકે સોનલમાઁની મૂર્તિની નગરયાત્રા ગોવિંદભા રાજૈયા તથા નાનભા રાજૈયાના નિવાસસ્થાને થી ચારણ સમાજનીવાડી સુધી રથયાત્રા કાઢવામા આવશે જેથી રથયાત્રામાં આઈશ્રી સોનલમાઁના દર્શન માટે સૌને ચારણ સમાજ વતિ ભાવભર્યું આમંત્રણ પાઠવવામા આવ્યુ છે તેમજ બીજા દિવસે તા.૨૬ ને સોમવારે સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતના જાણીતા પ્રખ્યાત કલાકાર લોકસાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર હકાભા ગઢવી, ચારણી ચરજોના કલાકાર જયદાન ગઢવી તથા મોરબીના જાણીતા લોકસાહિત્યકાર રાજુભાઈ આહિર દ્વારા ચારણી ચરજો, દુહાછંદ અને હાસ્ય સાથે ભવ્ય સંતવાણી યોજવામાં આવશે તેમજ ત્રીજા દિવસે તા.૨૭ ના રોજ આઈશ્રી સોનલમાઁ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી પૂર્ણાહુતિ કર્યા બાદ ગોવિંદભા રાજૈયા તથા નાનભા રાજૈયા તરફથી મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામા આવેલ છે