
મોરબીના યુવા અગ્રણી અજય લોરીયા અને સોસાયટીના લોકો દ્રારા નગરપાલિકાના વિસ્તારના વોર્ડ નં ૧૦ માં આવતા ભંગાર રોડને ૧.૧૫ લાખના સ્વખર્ચે રોડ રિપેર કરાવી તંત્રનુ નાક વાઢયુ
મોરબીના કેનાલ રોડ પર આવેલ દર્પણ – અને શિવ પાર્ક સોસાયટી માં આશરે ૮૦૦ મકાનો અને ૫૦૦૦ જેટલા લોકો રહે છે ત્યાં રોડ ની હાલત અત્યંત દયનિય હોવાથી અનેક વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી હતી સેવાભાવી યુવાન અજય લોરીયા અને સોસાયટીના રહીશો દ્વારા સહિતના દ્વારા ૧.૧૫ લાખ(એક લાખ પંદર હજાર)નો ખર્ચ કરી અને ત્યાં ખાડાઓમાં ડામર પાથરી ત્યાં ચાલવા યોગ્ય રસ્તો બનાવ્યો હતો