મોરબી મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે અન્નકૂટ દર્શનનો બોહળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો આજે રાત્રે ભાઈ બીજ નિમિત્તે નેજા ઉત્સવ પૂજન મહાઆરતી ભજન મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે

મોરબી મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે અન્નકૂટ દર્શનનો બોહળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો આજે રાત્રે ભાઈ બીજ નિમિત્તે નેજા ઉત્સવ પૂજન મહાઆરતી ભજન મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે

હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ગુજરાતભરના જુદા – જુદા મંદિરોમાં અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવો જ અન્નકૂટ મહોત્સવ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે યોજાયો હતો.જેમાં ૫૬ ભોગ અન્નકુટ ધરવામાં આવ્યો હતો.આ અન્નકૂટ દર્શનનો બોહળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહંત પૂજય ભાવેશ્વરીબેન, પૂજય રતનબેનના સાનિધ્યમાં ૫૬ ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો હતો.જેમાં જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ, ફરસાણ,મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યો હતો.બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો, અને ભકતજનો માટે પ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી હતી તેમજ આજે ભાઈબીજ નિમિત્તે આશ્રમ ખાતે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ ભજન સંતવાણી સહિતના વિવિધ કાર્યકમ રાખવામાં આવ્યા છે. જેને સફળ બનાવવા મહંત પૂ. ભાવેશ્વરીબેન, પૂ. રતનબેન,મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.બોહળી સંખ્યામાં ભક્તોજનોએ મહાઆરતી,અને અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here