મોરબી પંચાસર રોડ પર ભારતપરામા પાલીકાતંત્રની મનમાની મુજબ બુલડોઝર ફરી વળતા હિંન્દુ મુસ્લીમના ૩૦૦ ગરીબ પરીવારો ધર વિહોણા બન્યાનો આક્ષેપ અફડાતફડીનો માહોલ સર્જાયો..જુઓ વીડીયો

મોરબી પંચાસર રોડ પર ભારતપરામા પાલીકાતંત્રની મનમાની મુજબ બુલડોઝર ફરી વળયાનો આક્ષેપ હિંન્દુ મુસ્લીમના ૩૦૦ ગરીબ પરીવારો ધર વિહોણા બન્યા અફડાતફડીનો માહોલ સર્જાયો

મોરબી નગરપાલીકા તંત્ર દ્રારા ગરીબ અને લાચાર પરીવારો પર હળાહળ અન્યાય જુની માપણીને નેવે મુકી નવી માપણીમા જમીન કપાત વધાર્યુ એક જ સાઈડમા કપાતનુ સર્વે કરી લાચાર પરીવારો પર અન્યાય કરાતો તેમજ નવા માપથી પણ વધારે મનફાવે તેમ કપાત કર્યાનો લતાવાસીઓનો આક્ષેપ

મોરબી નગરપાલીકા તંત્ર આજે સરકારશ્રી દ્રારા “હર ધર કો છત” આવાસ યોજનાનો ફિયાસકો બોલાવ્યો ૩૦૦ ગરીબ પરીવારોના આવસો પર બુલડોઝર બુલડોઝર ફેરવી નાખ્યુ પાલીકાતંત્રની ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી મેગા ડિમોલેશન હાથ ધરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જેમા નગરપાલીકા તંત્ર દ્રારા મોરબી પંચાસર રોડ પર આવેલ ભારતપરામા છેલ્લા ૪૫ વર્ષથી કાચા પાકા મકાન બનાવી ટકનુ કમાઈને ટકનો વેપાર કરી વસવાટ કરતા હિંન્દુ મુસ્લીમ ગરીબ પરીવારો જે છેલ્લા ૪૫ વર્ષથી લાઈટબીલ નગરપાલીકાનો વેરો આધારકાર્ડ રેશનકાર્ડ ધરાવતા હોવા છતા લાંબા સમય પછી પાલીકાતંત્ર જાણે ભરનિંદ્રામાથી ગરીબ લાચાર પરીવારોને હેરાન પરેશાન કરવા જાગ્યુ હોય તેવી રીતે રોડ કપાતની નોટીશ આપી તાત્કાલીક રહેણાંક ખાલી કરવાની સુચના આપતા ગરીબ પરીવારોની આંખમાથી આશુ સરી પડયા હતા આ રોડ કપાતમા જુની માપણીને નેવે મુકીને પાલીકાતંત્રએ નવી માપણીનુ સર્વે કરી એક જ સાઈડમા ૧૦૦ ફુટ કપાતનુ સર્વે કરી લતાવાસીઓ પર હળાહળ અન્યાય કરતા હોવાની બુમ ઉઠી છે ત્યારે આ ગરીબ પરીવારોને શિયાળાની ઠંડીમા રહેવા માટે અન્ય કોઈ સ્થળે જગ્યા ફાળવવામા આવી નથી કે વૈકલ્પીક વ્યવસ્થા પણ કરાઈ નથી જેથી લાચાર ગરીબ પરીવારો આ રોડના વિકાસના કામથી ઉપર આસમાન નીચે ધરતી જેવી ગંભીર હાલતનો સામનો કરવા જેવી પરિસ્થતિ ઉભી થઈ હતી તેમજ પાલીકાતંત્રે સતાના જોરે નવા માપ કરતા પણ વધારે મનફાવે તેમ મકાનોને નુકશાન પહોચાડતા હોવાની પણ લાચાર ગરીબ લતાવાસીઓએ આક્ષેપ કર્યા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here