
રિપોર્ટ- અલ્પેશગીરી સુરેશગીરી ગૌસ્વામી મોરબી
મોરબી દશનામ ગૌસ્વામી યુવક મંડળ દ્રારા છઠ્ઠા ભવ્ય સમૂહલગ્નોત્સ્વ તારીખ- ૨૩-૦૨-૨૦૨૫ને રવીવારે યોજાશે
આ સમુહલગ્નોત્સ્વમા બહોળી સંખ્યામા સંતો મહંતો સહિત સમાજ અગ્રણીઓ હાજરી આપશે
મોરબીમા શ્રીદશનામ ગોસ્વામી યુવક મંડળ દ્રારા છઠ્ઠા સમૂહલગ્નોત્સ્વ તારીખ- ૨૩-૦૨-૨૦૨૫ ને રવીવેરના રોજ ધામધુમથી યોજવામા આવશે જેમા શ્રી દશનામ ગૌસ્વામી યુવક મંડળ ટીમ દ્વારા છઠ્ઠા સમુહલગ્નોત્સવ મોરબી સાંઈબાગ જનકલ્યાણનગર ઉમા ટાઉનશીપ ગેટની સામે યોજાશે જેમાં ૭ યુગલો લગ્નગ્રંથીથી જોડાઈ પ્રભુતાના પગલા માંડશે આ સમુહલગ્નોત્સ્વમા કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીના સહિત ૧૦૧ થી વધુ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે આ સમૂહલગ્નમાં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગૌસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે ઉપસ્થિત સંતો મહંતો અને આગેવાનો દ્રારા સમાજને ઉપયોગી પ્રવચન કરવામા આવશે અને નવદંપતિઓને સાધુ સંતો દ્રારા આશીર્વાદ આપવામા આવશે