
રિપોર્ટ- અલ્પેશગીરી સુરેશગીરી ગૌસ્વામી મોરબી
મોરબી દશનામ ગૌસ્વામીસમાજના ૧૪મા ભવ્ય સમૂહલગ્નમા સંતો મહંતો સહિત સમાજ આગેવાનોએ બહોળી સંખ્યામા હાજરી આપી
શ્રી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ મોરબી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતીની ટીમ દ્વારા ૧૪મો સમુહલગ્નોત્સવ મોરબી રામધન આશ્રમ ખાતે યોજાયો હતો જેમાં ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયને પ્રભુતાના પગલા માંડયા હતા જેમાં કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીના સહિત ૮૮ થી વધુ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ સમૂહલગ્ન માં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના ગૌસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સંતો મહંતો અને આગેવાનોએ પ્રવચનમાં તમારા બાળકો ને વધુ ને વધુ ભણાવો તેમજ મોંઘવારી માં ખોટા ખર્ચ કરવાને બદલે સમૂહલગ્ન માં જોડાવવા પર ભાર મુક્યો હતો તેમજ સમાજને વધુને વધુ સંગઠિત બનાવવા પર ભાર મુક્યો હતો રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરીબેન એ નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા આ સમૂહલગ્નમાં મહંતશ્રી શીવશંકરગીરી મહંતશ્રી બલરાજગીરી સહિત સમાજના રસીકગીરી નવલગીરી દીનેશગીરી હીરાગીરી પ્રમુખશ્રી છાત્રલય રાજકોટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહલગ્નને સફળ બનાવવા ડો. જયદીપપુરી રાજેશગીરી મહેન્દ્રનગર,અરવિંદવન,પ્રવિણગીરી સહિત સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી