
મોરબીમા પીરે તરીકત પીર સૈયદ હઝરત હાજી અબ્દુલ રઝાકમિંયાબાપુનો ઉર્ષ મુબારક કાલે ૨૧ ફેબ્રુઆરીના રોજ શાનો સોકતથી ઉજવાશે
ઉર્ષમુબારકની ખુશીમા નાઅતશરીફ વાયેઝશરીફ ન્યાઝશરીફ ચાદરપોશી સહિતના કાર્યક્રમો યોજવામા આવશે
સલામ બાદ જણાવવાનું કે શેરે ખુદા હઝરત મૌલા અલી સીલસીલા એ કાદરીયા, ચીશ્તીયા, અશરફીયા, નુરીયા, બુખારીયાના તમામ ઔલીયા તેમજ અમારા બુઝુર્ગ પીરે તરીકત હઝરત સૈયદ મોહંમદમિંયાબાપુ તેમજ હઝરત પીર સૈયદ અબ્દુલ રઝાકમિંયાબાપુની બારગાહમાં ખીરાજે અકીદત પેશ કરવા માટે ન્યાઝ શરીફ, નાત શરીફ અને વાએઝ શરીફનો એક શાનદાર પ્રોગ્રામ જશને મૌલા અલીનું આયોજન કરેલ છે. તો આ મુબારક મૌકા પર તશરીફ લાવી ખુબ ફૈઝાને એહલેબૈત હાંસીલ કરવા અપીલ કરવામા આવે છે
આ ઉર્ષ મુબારકમા નાતખ્વા સૈયદ અબ્દુલકાદિર બાપુ તેમજ કારી સૈયદ આફતાબમિંયા બુખારી અશરફી-મોરબી નાતશરીફની ધુમ મચાવશે આ ઉર્ષ મુબારક મુસ્લીમ તારીખ ૨૨ શાબાન -અંગ્રેજી તારીખ : ૨૧-૦૨-૨૦૨૫, શુક્રવારના રોજ ઔરતોની કુર્આનખાની સવારે ૧૦-૦૦ કલાકે મન્સુરી કોમ્યુનિટી હોલ ઈદગાહ સામે તેમજ ચાદરપોશી ઝુલુસ જુમ્મા નમાઝ બાદ ઘાંચી પરાથી સૈયદુના કબ્રસ્તાને પીર સૈયદ અબ્દુલ રઝાકબાપુની દરગાહ સુધી અને વાયેઝ શરીફ ઈશા નમાઝ બાદ રાત્રે ૧૦-૦૦ કલાકે હુશૈની ચોક, ઘાંચીપરામા આશીકાને આલે નબી-કમીટી દ્રારા રાખવામા આવશે આ ઉર્ષમુબારકના ખુશીના મૌકા પર પીરે તરીકત હઝરત સૈયદ હાજીઆરીફર્મિયા હાજીમહંમદર્મિયા બુખારી અશરફી હઝરત પીર સૈયદ અસ્લમર્મિયા હાજી અબ્દુલરઝાકર્મિયા બુખારી અશરફી સૈયદ મોહંમદ આફતાબર્મિયા હાજી આરીફર્મિયા બુખારી અશરફી સહિતના આલેરસુલ ઉપસ્થિત રહેશે જેથી તમામ મુસ્લીમ બિરાદરો હાજરી આપી શવાબ હાંસીલ કરવા અપીલ