
મોરબી વીસીપરામા મહોરમના માતમના તહેવારમા ઠેર ઠેર શબ્બીલોમા અવનવી વાનગીઓનુ ન્યાઝ કોલ્ડ્રિકસ વિતરણ ઝિક્રે ઈમામ હુશેનની વાયેઝશરીફ
મોરબી વીસીપરા વિસ્તારમા ગુલામેરસુલ શબીલ કમીટી એકતા શબીલ કમીટી અને ગૃપ ઓફ મોરબી ના યુવાનોમા હુશેની રંગ છવાયો
મોરબી વીસીપરા વિસ્તારમા મોહરમના તહેવારમા યુવાનો હુશેની રંગે રંગાયા હતા ગુલામે રસુલ શબીલ કમીટી- એકતા શબીલ કમીટી અને ગૃપ ઓફ મોરબીના યુવાનો દ્રારા દશ દિવસ સુધી અવનવી વાનગીઓના ન્યાઝની સાથે લચ્છી દુધકોલ્ડ્રિકસનુ દરરોજ વિતરણ કરી આકા ઈમામ હશન હુશેનની શાનમા માતમ મનાવી રહયા છે જેમા હિંન્દુ મુસ્લીમ ભાઈઓ બહેઓ તેમજ બાળકો ન્યાઝ માટે બહોળી સંખ્યામા ઉમટીને એકતાનો સંદેશો પાઠવી રહયા છે
ત્યારે મોરબી વીસીપરા વિસ્તારમા સિડફાર્મ સરકારીવાડી ખાતે ઝિક્રે ઈમામ હશન હુશેનની યાદમા મૌલાના સૈયદ આલમબાપુ કાદરી અને કુલીનગર-૨ મા બિલ્લાલી મસ્જીદના પેશઈમામ મુફતી સાહેબ તેમજ વીસીપરા ચાલી વિસ્તારમા મૌલાના સૈયદ અયુબબાપુ બુખારી દ્રારા વાયેઝશરીફ બયાન કરવામા આવે છે આ વાયેઝશરીફ પીરે તરીકત એઝાઝબાપુ બુખારી- રઝાકબાપુ ૪૭ પીર બાપુ સૈયદ પીર નાનાબાવા સહિતના આલેરસુલ હાજરી આપે છે તથા મુસ્લીમ અગ્રણીઓ ખડેપગે રહી સેવા પુરી પાડી રહયા છે ત્યારે વાયેઝશરીફમા બહોળી સંખ્યામા લોકો ઉમટી પડે છે