
મોરબીના પોકસો તથા અપહરણ કેશના મુખ્ય આરોપી ધમ્મરનાથ ઉર્ફે વિશાનાથ રૂમાલનાથ પઢીયાર તથા નાસતા ફરતા સહ આરોપી જાનનાથ સોરમનાથ નાઓનો તેમની સામે નોંધાયેલ સમગ્ર ફરીયાદ તથા કેસના તમામ પ્રોસીડીંગ રદ કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ અને બંને આરોપીઓનો નિંદોષ છૂટકારોમોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરિયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના ફરીયાદીની દીકરીને તા.૨૩/૦૩/૨૫ ના સવારના આશરે દસેક વાગ્યાના સુમારે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઈ જઈ આરોપી ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાએ ફરીયાદીની સગીર વયની દીકરી સાથે તેની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી ઉગ્ર જાતીય પ્રવેશ હુમલો કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડીવી. પોલીસે બી.એન.એસ એકટની કલમ- ૧૩૭(૨), ૬૪(૨)(એમ), ૫૪ તથા પોકસો એકટની કલમ-૪,૬,૧૭મુજબનો ગુનો નોંધી આરોપી નં.૧ ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયારની ધરપકડ કરેલ હતી જયારે આરોપી નં. ૨ જાનનાથ સોરમનાથ ને નાસતો ફરતો બતાવેલ અને પુરતો પુરાવો જણાતા આરોપીઓ સામે નામ. કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલ.સદરહુ કેસ મોરબીના એડી. ડિસ્ટ્રી. જજ સાહેબની કોર્ટમાં ચાલેલ અને આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા