
મોરબીમાં ચેક રિટર્નના કેશમાં એક વર્ષની કેદની સજા તથા ડબલ રકમનો દંડ, ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરતી નામદાર કોર્ટ
કેશની હકીકતે ફરિયાદી દયારામભાઈ પૂજાભાઈ ડાભી, રાતડિયાની વાડી મોરબી આરોપી મનસુખભાઇ ધનજીભાઇ પરમાર, સગારા-તેજાણીની વાડી મોરબી વાળાએ ફરિયાદી દયારામભાઈ પાસેથી હાથ ઉછીના કટકે-કટકે ૩,૪૦,૦૦૦/- મિત્રતાના સબંધે આપેલ હતા. અને તે રકમ પરત કરવા માટે મનસુખભાઇ એ ચેક આપેલ હતો જે ચેક બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો, જેથી ફરિયાદી દ્વારા નોટિશ આપવામાં આવી હતી. છતાં રકમની ચુકવણી કરવામાં આવી ન હતી. જેથી ફરિયાદી દયારામભાઈ એ ફોજદારી ફરિયાદ તારીખ ૧૬-૧૦-૨૦૨૪ ના રોજ દાખલ કરેલ હતી
જે કેશ ચાલી જતાં ફરિયાદી પક્ષે રજૂ કરેલ પુરાવા, વકીલની ધારદાર દલીલ, તથા ચૂકાદાઓને દયાને લેતા મોરબીના બીજા એડી ચીફ જ્યુડી, મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેશ ચાલી જતાં આરોપી મનસુખભાઈ ધનજીભાઇ પરમારને ૧ વર્ષની કેદની સજા અને વિવાદિત ચેકની રકમ ૩,૪૦,૦૦૦/- ની ડબલ રકમ કુલ રૂ ૬,૮૦,૦૦૦/- ફરિયાદ તારીખથી ૯% ના વ્યાજ સાથે વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરેલ છે જો આરોપી મનસુખભાઇ વળતરની રકમ નો ભારે તો વધુ ૯૦ દિવસની કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. જે આ કેશમાં ફરિયાદી પક્ષે મોરબીના યુવા વકીલ સતિષભાઇ જી. કંજારીયા રોકાયેલ હતા