
કચ્છ જુના કટારીયા ગામે પીર પળેલશા પાગારા પરીવારના સુફીસંત ઓલીયા હઝરત પીર સુલતાનશાપીરનો ઉર્ષમુબારક શાનોસોકતથી ઉજવાયો
ઉર્ષની સાથે હઝરત સૈયદ પીર તાજમહંમદબાપુ સુલતાનશાપીર કાદરીના નાનાભાઈ સૈયદ મુબારકશા પીર સુલતાનશાબાપુ સૈયદના સહેજાદાની શાદી મુબારકનો કાર્યક્રમ યોજાયો હતો
કચ્છ ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામે આવેલ સુપ્રસિધ્ધ સુફીસંત ઓલીયા પીર પળેલશા પાગારા પરીવારના હઝરત પીર સૈયદ સૂલતાનશાપીર અલાઉદીનશાબાપુના ઉર્ષ મુબારકની સાથે પીર સૈયદ સુલતાનશાબાપુના સહેજાદા સૈયદ મુબારકશા પીર સુલતાનશાબાપુના લગ્ર માળીયા મિંયાણાના પીરે તરીકત સૈયદ પીર અમીરશા પીરમામદશાબાપુ (ડેલીવારા) ની સહેજાદી સૈયદા શહેનાઝમા સાથે હઝરત પીર પળેલશા પાગારાની દુવા કરમથી નિકાહ કરવામા આવ્યા હતા
તાજેતરમા હઝરત પીર પળેલશા પાગારા પરીવારના સૈયદ પીર અબ્દુલાશાબાપુ (ચિત્રોડ) વારા જન્નતનશીબ થયા હોવાના કારણે આ ઉર્ષ મુબારકની સાથે નિકાહ કાર્યક્રમ ખુબજ સાદગી પુર્વક રાખવામા આવ્યો હતો જેમા દરવર્ષની જેમ આ વર્ષે હઝરત પીર સુલતાનશાબાપુ કાદરીના ઉર્ષમુબારક તા ૨૨-૦૨-૨૦૨૫ ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે ચાદરપોશી બાદ ૬:૦૦ કલાકે ઝુલુસ કાઢવામા આવ્યુ હતુ અને મગરીબની નમાઝબાદ જમણવાર ન્યાઝશરીફનુ આયોજન કરવામા આવ્યુ હતુ અને ઈશા નમાઝબાદ મુંબઈના મશહુર કવ્વાલ અમન અબઝલ સાબરીએ કવ્વાલીની ધુમ મચાવી હતી આ ઉર્ષમુબારકના મૌકા પર ગુજરાતભરમાથી પીર પળેલશા પાગારા પરીવારના ચાહકો અને શ્રધ્ધળુઓ બહોળી સંખ્યામા ઉમટી પડયા હતા
ત્યારબાદ રવીવારે સવારે જાન રવાનગી બાદ ઝોહરની નમાઝબાદ માળીયા મિંયાણા શહેર ખાતે નિકાહ પઢવામા આવ્યા હતા આ લગ્નમા બહોળી સંખ્યામા પીર પળેલશા પાગારા પરીવાર તેમજ સાદાતે કિરામ આલેબેદ પરોહીવારોએ હાજરી આપી હતી