
માળીયા મિંયાણા શહેરમા ઉપવાસી આંદોલનકારીના સમર્થનમાં વિવિધ જીલ્લાના મિંયાણાસમાજના આગેવાનો એક દિવસના પ્રતિક ઉપવાસ બેસી સમર્થન આપશે
અમદાવાદ રાજકોટ કચ્છ (ભુજ) સુરેન્દરનગર ધ્રાગધ્રા હળવદ મોરબી સુરજબારી જામનગર વાકાનેર સહિત ગુજરાતભરના મિંયાણાસમાજના અગ્રણીઓ સમાજ ટેકો આપશે
સમસ્ત મિંયાણા સમાજ મહાસંગઠનના ગુજરાતના આગેવાનો દ્વારા જાણ કરવામાં આવે છે કે તા.૨૪-૨-૨૦૨૫ના રોજથી માળીયા મિંયાણાના શહેર તાલુકાના વણ ઉકેલ્યા પ્રાણ પ્રશ્નોને લઇને માળીયા મિંયાણાના સામાજીક કાર્યકર શ્રી સધવાણી ઝુલ્ફીકારભાઈ ઉમરદીનભાઈ સહીત અન્ય કાર્યકરો સાથે મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહેલ છે. જેના સમર્થનમાં મિંયાણા સમાજના જીલ્લા તાલુકાના આગેવાનો, મોરબી, અમદાવાદ રાજકોટ, કચ્છ(ભુજ), સુરેન્દ્રનગર, જામનગર, ધાંગધ્રા, વાંકાનેર, હળવદ, સુરજબારી સહીતના આગેવાનો જાહેર સમર્થન આપી તા.ર૬-૨-૨૦૨૫ના રોજ સવારના ૯-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી મામલતદાર કચેરી સામે ઉપવાસી છાવણીમાં બેઠેલ સામાજીક કાર્યકરને સમર્થન આપી એક દિવસ પ્રતિક ઉપવાસ પર બેસીને આમરણાંત આંદોલનને સમર્થન આપશે તેવુ મિંયાણાસમાજના અગ્રણીઓએ લૈખિતમા મામલતદારશ્રીને આવેદન પાઠવ્યુ હતુ