રાજકોટ ગ્રામ્ય જિલ્લા તથા સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં મીલકત સબંધી ગુન્હા આચરતી”કાળીયા ગેંગ” ટોળકીના સાગરીત અને GUJCTOC જેવા ગંભીર ગુનાના કામે નાસતા-ફરતાઆરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં નાસતા-ફરતા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી.અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી.પી.એન.મોરી, શ્રી.બી.સી.મીયાત્રા, શ્રી.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા માટે હ્યુમનસોર્સથી જરૂરી મેળવી ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા, નિકુલભાઇ પંપાણીયા નાઓને મળેલ ચોકકસ હકિકત આધારે રાજકો રાજકોટ ગ્રામ્યના ગોંડલ સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નંબર ૦૨૬૭/૨૦૨૬ ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-૨૦૧૫ (GUJCOC) ની કલમ ૩(૧) ની પેટા કલમ (૧) તથા કલમ ૩(૧) ની પેટા કલમ (૨) તથા કલમ ૩(૨) તથા ૩(૪) તથા કલમ ૩(૫) મુજબના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપી ઇનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી સ.ઓ. નવલભાઇ ઉર્ફે મુનીભાઇ વાઘેલા (વાજેલીયા) જાતે દેવીપુજક ઉ.વ. રહે, વાસાવડ સાણથલી દરવાજા તા.ગોંડલ જી.રાજકોટ નાઓને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદના ખારચીયા ગામની સીમમાંથી મળી આવતા હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

