માળીયા મિંયાણાના વેજલપર ગામે સીમ વિસ્તારમાંથી શાળામાં સ્થળાંતર કરાયેલા ૫૦૦ જેટલા મજુરોના પેટ ભરી ધર્મેન્દ્રભાઈ કૈલાએ માનવતા મહેકાવી

માળીયામિયાણા
તા.૧૬ જુન ૨૦૨૩
રિપોર્ટ :   ગોપાલ ઠાકોર

માળીયા મિંયાણાના વેજલપર ગામે સીમ વિસ્તારમાંથી શાળામાં સ્થળાંતર કરાયેલા ૫૦૦ જેટલા મજુરોના પેટ ભરી ધર્મેન્દ્રભાઈ કૈલાએ માનવતા મહેકાવી

વેજલપર ગામે શાળામાં ખસેડાયેલા ૫૦૦થી વધુ મજુરો માટે જમવાની વ્યવસ્થા ઉભી કરી કનકા ભગતે સેવાનું ભાથું બાંધ્યુ

માળીયામિંયાણાના વેજલપર ગામે બિપોરજોય વાવાઝોડાના કહેરના કારણે ગઈકાલથી સીમ વિસ્તારમાં રહેતા મજુરોને ગ્રામ પંચાયત કચેરી દ્વારા સલામત સ્થળે ખસી જવા સુચના અપાઈ હતી જેથી વેજલપર સીમ વિસ્તારમાં રહેતા ૫૦૦થી વધુ મજુરોને વેજલપર શાળામાં ખસેડી શિફટ કરાયા હતા હાલ બે શાળાના પાંચેક રૂમમાં આશ્રિતોની પરીસ્થિતિને પહોંચી વળવા મજુરોને કોઈ અગવડતા ન પડે તે માટે સરકારી કર્મચારીઓ ખડેપગે રહીને બિપોરજોય વાવાઝોડામાં ફરજ બજાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસથી શાળામાં સ્થાયી થયેલા મજુરોને ફૂડપેકેટ અપાયા હતા તેમજ ગ્રામજનો દ્વારા સેવાયજ્ઞ ચાલુ રાખીને સંકટ સમયે મદદરૂપ બની રહ્યા છે જે તમામ ૫૦૦થી વધુ મજુરો માટે આજે બપોરના ભોજનની ધર્મેન્દ્રભાઈ ડાયાભાઈ કૈલા (કનકા ભગતે) વ્યવસ્થા ઉભી કરી બિપોરજોય વાવાઝોડાના કહેર વચ્ચે માનવતા મહેકાવી હતી વેજલપર ગામે આજે વહેલી સવારથી વાવાઝોડા સાથે તોફાની વરસાદ વરસતા રીતસર તાંડવ જોવા મળ્યુ હતુ જેથી સરકારની સજાગતા અને આગોતરા આયોજન થકી મોરબી વહીવટી તંત્રની તાબડતોબ કામગીરીએ આજે બિપોરજોય વાવાઝોડા પહેલા તમામ પરપ્રાંતીય મજુરોને સહીસલામત સુરક્ષિત જગ્યાએ ખસેડી ગ્રામજનો દ્વારા સેવાયજ્ઞ ચાલુ કરી મદદરૂપ બની રહ્યા છે આ સેવાકાર્યમાં વેજલપર ગામના યુવાનો વડીલો જોડાયા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here