
માળીયા મિંયાણાના વવાણીયા ગામે હઝરત પીર હાજી અબ્બાસબાપુનો પ્રથમ ઉર્ષ મુબારક ધામધુમથી ઉજવાશે ઉર્ષ મુબારકમા ચાદરશરીફ બાદ ભવ્ય આમ ન્યાજ તકરીરનો કાર્યક્રમ રાખવામા આવશે.. ગાદીનશીન સૈયદ પીરે તરીકત મહંમદબાપુ બુખારી
માળીયા મિંયાણા તાલુકાના મુળ ખીરઈ ગામના હઝરત પીરે તરીકત સૈયદ હાજી અબ્બાસમિંયા અકબરમિંયા બાપુ બુખારીનો પ્રથમ ઉર્ષ મુબારકનો ભવ્ય કાર્યક્રમ વવાણીયા ગામે અંગ્રેજી તારીખ ૧૫ એપ્રીલ ૨૦૨૪ને સોમવાર મુસ્લીમ ચાંદ પાંચ શવ્વાલના રોજ સાંજે ૪:૦૦ કલાકે વવાણીયા મસ્જીદથી દરગાહ સુધી ચાદરશરીફનુ જુલુસ કાઢી ચાદર ચઢાવવામા આવશે ત્યારબાદ મગરીબ નમાઝ બાદ ભવ્ય આમ ન્યાઝશરીફ રાખવામા આવશે અને ઈશા નમાઝ બાદ તકરીરનો કાર્યક્રમ રાખી પ્રથમ ઉર્ષની ભવ્ય ઉજવણી કરાશે આ ઉર્ષ મુબારકમા શવાબ હાસીલ કરવા પીરો મુરસીદો તેમજ હઝરત પીર સૈયદ હાજી અબ્બાસબાપુના ચાહકોને પધારવા માટે સૈયદ ઈશાકબાપુ (ડાડાબાપુ) સૈયદ ઉમરમીંયા બાપુ-સૈયદ રજાકબાપુ બુખારી સૈયદ અલીમીંયાબાપુ અને ગાદીનશીન સૈયદ પીરેતરીકત મહંમદબાપુ બુખારી M.sarkar દ્રારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામા આવે છે