
રાજકોટના જાળિયાની ખેડવાણ જમીનનું વિજ્ઞાપન અને કાયમી મનાઈ હુકમનો દાવો નામંજુર કરતી નામદાર કોર્ટ
કરાર પાલનનો દાવો પાછો ખેચ્યા બાદ ફરી કોઝ ઓફ એક્શનનું કારણ નહીં હોવાની રજૂઆતો
જાળિયાની ખેડવાણ જમીનનું વિજ્ઞાપન અને કાયમી મનાઈહુકમનો દાવો નામંજુર કરવામાં આવ્યો છે. કરાર પાલનનો દાવો પાછો ખેંચ્યા બાદ ફરી કોઝ ઓફ એક્શનનું કારણ નહીં હોવાની રજૂઆતો કરવામાં આવી હતી.
રાજકોટ તાલુકાના જાળીયા ગામનાં રેવન્યુ સર્વે નં. ૩૫૮ની ખેડવાણ જમીન હે.આરે.ચો.મી. ૩-૦૪-૫૪ કે જે ખોરાણાના માર્ગે ડોળીના નામથી ઓળખાય છે તે જમીન અંગે જીતેન્દ્ર બાબુભાઈ રૈયાણી દ્વારા જમીનના માલિક સ્વ. લાભુબેન રણછોડભાઈ પીપળીયા તથા સ્વ. શૈલેષભાઈ રણછોડભાઈ પીપળિયા સાથે તારીખ ૦૨/ ૦૮/૨૦૧૧ના રોજ ખરીદ અંગે રજીસ્ટર સાટાખત કરેલું. જેની અવધી પૂરી થતા સાટાખટની મુદ્દત વધારા અંગેનો કરાર પણ કરવામાં આવેલ. પરંતુ જીતેન્દ્ર બાબુભાઈ રૈપાણીએ સદર મિલકત ખરીદ કરેલ નહી અને એડિશનલ સિનિયર સિવિલ જજ સમક્ષ કરારના વિશિષ્ટ પાલન અંગેનો દાવો કરેલો, જે દાવો તારીખ ૨૯/૦૩/૨૦૨૪ ના રોજ બિનશરતી પરસ્ત ખેંચેલો. ત્યારબાદ વાદી જીતેન્દ્ર બાબુભાઈ રૈયાણીએ પ્રતિવાદીઓ
સ્વ. લાભુબેન રણછોડભાઈ પીપળીયા તથા સ્વ. શૈલેષભાઈ રણછોડભાઈ પીપડીયા આ વારસદારો ચાર્મીબેન શૈલેષભાઈ પીપળીયા, રસીલાબેન રણછોડભાઈ પીપળીયા, અનસુયાબેન રણછોડભાઈ પીપળીયા, ગીતાબેન રણછોડભાઈ પીપડીયા, અલકાબેન રણછોડભાઈ પીપળીયા વિરુદ્ધ વિજ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમ અંગેનો રેવન્યુ દાવો કરેલો. જે દાવાના પ્રતિવાદી રસીલાબેન રણછોડભાઈ પીપળીયા, અનસુયાબેન રણછોડભાઈ પીપળીયા,અલકાબેન રણછોડભાઈ પીપળીયાને નોટીસ (સમન્સ મળતા તેમના વકીલ મારફત કોર્ટ સમક્ષ હાજર થઈ વાદી જીતેન્દ્ર બાબુભાઈ રૈયાણીને જમીન સંબંધે દાર્થો લાવવા અધિકાર નથી, તેમજ વાદીએ કરેલ અગાઉ દાવો બિનશરતી પાછો ખેંચી લીધેલ હોય અને દાવા અંગેનું કોઝ ઓફ એક્શન પ્રાપ્ત થતું ન હોય તેવી રજૂઆત પ્રતિવાદી દ્વારા કરવામાં આવેલ હોય તેમ જ તે અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તથા કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ વાદી જીતેન્દ્રભાઈનો દાવો રદ કરતો હુકમ ફરમાવેલ છે. આ દાવામાં પ્રતિવાદીઓ વતી એડવોકેટ રિધ્ધિશા આર. રત્નેશ્વર, અંજુમન એમ. અજમેરી તથા ઋષિકેશ આર. કરડાણી રોકાયા હતા.