
હઝરતપીર કોઠાવારા ઝિંઝોડા ગામે રહેતા પીરે તરીકત મોઈનુદીનબાપુએ સાત વર્ષની ઉંમરે રમજાનનુ રોઝુ રાખી ખુદાની ઈબાદત કરી
મોરબી: પવિત્ર રમજાન માસની શરૂઆતથી જ મુસ્લિમ સમાજના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિતના બાળ રોજેદારો કળકળતા તાપમાનની મોસમમા વહેલી સવારે ઉઠીને સર્ગિ કરી રોઝુ રાખીને ૧૫-થી-૧૬ કલાક સુધી ભુખ્યા તરસ્યા રહીને નમાઝ તેમજ કુર્આનેપાકની તિલાવત કરી પરવરદીગારની ઈબાદત કરી પાક અને પવિત્ર રમજાન મહિનામા ખુદા પરવરદિગારને રાજી કરવાના પ્રયાસો કરી રહયા છે ત્યારે સુન્ની મુસ્લીમ સમાજના નાના ભુલકાઓ પણ અલ્લાહપાકની બંદગી કરવામા પીછેહટ નથી કરતા હમેશા અગ્રેસર હોય છે ત્યારે હઝરતપીર કોઠાવારા ઝિંઝોડા ગામે રહેતા સૈયદ અંજુમબાપુ વહાબમીંયા પીરજાદાના સાત વર્ષના સહેજાદા મોઈનુદિનબાપુએ રમજાન માસમા રોજુ રાખી ખુદાની ઈબાદત બંદગી કરી હતી જેથી સૈયદ પીરઝાદા પરીવારે બાળ રોજદારે સાત વર્ષની ઉમરે રોજુ રાખીને અલ્લાહપાકની ઈબાદત કરી હોવાથી અંજુમબાપુએ મોઈનુદિનબાવાને દુવા ઓ સાથે અભીનંદન પાઠવી દીકરાને હેત વર્ષા કરી ફુલહાર થી સ્વાગત કરી પવીત્ર રમજાન માસમાં બાળ રોજેદાર ને પ્રોત્સાહિત કરવા સમગ્ર સૈયદ પીરજાદા પરીવારે દુવા સાથે શુભેચ્છા અભીનંદન પાઠવ્યા