
રિપોર્ટ- ગોપાલ ઠાકોર મોરબી
સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરી ઉતરાયણની ભવ્ય ઉજવણી કરાઈ

સારથી સેવા દ્વારા મોરબી ખાતે ગરીબ પરિવાર ના બાળકો અને પરિવાર ના સભ્ય ને મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે મમરા ના લડવા નું મોરબી ના અલગ અલગ વિસ્તાર જેવા કે પાડાપુલ નીચે, નટરાજ ફાટક પાસે ના વિસ્તાર માં, ભીમસર પાસે અલગ અલગ વિસ્તાર માં તેમજ રાજકોટ ના માધાપર ચોકડી પાસે, રેલનગર, રેલ્વે જક્શન પાસે ના વિવિધ વિસ્તાર માં મમરા ના ૧૫૦૦ પેકેટ લાડું નું વિતરણ કરવા માં આવ્યું હતું આ તકે સારથી સેવા ના વિવેકભાઈ મહેતા, ભાવદીપભાઈ દુદકીયા, પ્રભેવભાઈ સાંગિયા, નિખિલભાઈ ગજ્જર, હર્ષરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા રાજકોટ અને મોરબી ના વિવિધ વિસ્તાર માં નું જરૂરિયાતમંદ લોકોના પરિવારને વિતરણ કરવામાં આવ્યું હતું


























