
મોરબી અને જખોબંદરે ગરીબનવાઝ રીલીફ ફાઉન્ડેશનના મુસ્લીમ સેવાભાવીઓ પહોચ્યા સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્તોની વહારે હિંન્દુ મુસ્લીમ એકતાનો પાઠવ્યો સંદેશ
મોરબી અને જખૌબંદર ગરીબનવાઝ રિલિફ ફાઉન્ડેશન (GNRF)ના સેવાભાવી મુસ્લીમ બિરાદરો હંમેશા કુદરતી આફતો હોય કે માનવસર્જિત આફતો આવી હોય ત્યારે ધર્મ નાતજાતના કોઈપણ ભેદભાવ વગર હમેશા ખડેપગે રહી હિંન્દુ મુસ્લીમ કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડી એકતાનો સંદેશ પાઠવવા પ્રયાસો કરે છે ત્યારે મોરબીના દાવતે ઈસ્લામી કે શોબે -ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન (GNRF) દ્વારા સંભવિત બિપરજોય વાવાઝોડાના દરિયાકાંઠા નજીકના વિસ્તારમાથી મજુરવર્ગના અને માછીમારી કરતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેમના માટે પીવાના પાણી તથા જમવાની વ્યવસ્થા ગરીબનવાઝ રીલીફ ફાઉન્ડેશન દ્રારા કરવામાં આવી હતી.
મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના નવલખીબંદર નજીક આવેલ જુમ્માવાડી લવણપુરથી સ્થળાંતરિત કરેલા ગરીબ પરીવારોની ખાસ મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેમની માટે ઉપયોગી સેવાપ્રવૃતીઓ કરવામાં આવી હતી તેમજ સંભવિત વાવાઝોડાને ધ્યાને લઈને ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશનની ટીમ જખૌબંદર આજુબાજુના અસરગ્રસ્તો માટે સેવાકીય પ્રવૃતીઓ માટે પહોચી હતી આવી કુદરતી સંકટના સમયમાં દાવતે ઈસ્લામી કે શોબે GNFR ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેશે તેમ જણાવ્યું હતું.