
https://youtu.be/1K_i5NHiMfw?si=tack69ruIMTYM6e4
મોરબીમાં ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિ શોભાયાત્રામા ભારતિય જનતા પાર્ટીના હોદેદારો ભજપનો ખેસ પહેરીને આવતા દલિતસમાજમા રોષ ફેલાયો હતો
રાજકીય રોટલા શેકવા શોભાયાત્રાને માધ્યમ બનાવી ભાજપનો ભગવો ખેસ પહેરીને સસ્તી પ્રસિધ્ધી મેળવવા આવેલા ભાજપના હોદેદારોથી દલિતની લાગણી દુભાતા રોષ ફેલાયો હતો
મોરબીમા ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મજયંતી નિમિતે જય ભીમના નારાઓ સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી ભારતરત્ન અને બંધારણના ધડવૈયા ડો.બાબાસાહેબની શોભાયાત્રામા તમામ વર્ગના લોકો જોડાયા હતા અને પ્રતિમાને ફુલહાર કર્યુ હતુત્યારે આ શોભાયાત્રામા તમામ રાજકીય આગેવાનો સામાજીક સંગઠનોના કાર્યકરોએ હાજરી આપી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના પરસોતમ રુપાલાનો ક્ષત્રિય સમાજ દ્રારા વિરોધ ચાલી રહયો છે અને અમુક ગામોમા ભાજપપક્ષને પ્રેવેશ માટે પણ પ્રતિબંધ મુકવામા આવ્યો છે જેમા દલિતસમાજ મુસ્લિમ સમાજે પણ ક્ષત્રિયસમાજને ટેકો જાહેર કર્યો હોય ત્યારે આ ભવ્ય શોભાયાત્રામા ભારતિય જનતા પાર્ટીના ચુટાયેલા ઉમેદવારો અને હોદેદારો ભાજપના ખેસ પહેરીને શોભાયાત્રામા સસ્તી પ્રસિધ્ધી મેળવવા આવતા દલિતસમાજમા ભાગલા પાડવાનો પ્રયાસ કરતા સમાજની લાગણી દુભાવી હોવાથી દલિત સમાજમા રોષ જોવા મળ્યો હતો