
હાશ…આખરે મોરબી નગરપાલીકા તંત્રની આંખ ખુલ્લી જોન્સનગરમા ત્રણ દિવસથી દુર્ગંધ ફેલાવથી મૃતક
ગાયને ખસેડાતા લતાવાસીઓમા હાશકારો
તાજેતરમા રમજાનનો પવિત્રમાસ ચાલુ થવાનો હોવાથી દુર્ગધમા મુસ્લીમ બીરાદરોને રોઝા રાખવામા ખુબજ મુશકેલી વેઠવી પડે તેવી હાલતમા પાલીકાતંત્ર જાગ્યુ
મોરબી શહેરમા આવેલ જોન્સનગર વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી રખડતી બીનવારસુ ગાયની મૃતક હાલતમા ડેથબોડી પડી હતી ત્યારે આ મૃતક ગાયને તાત્કાલિક ખસેડવા માટે લતાવાસીઓ દ્રારા અનેક મૌખિક નગરપાલીકા કચેરીમા રજુઆત કરાતા અમુક લોકો જોન્સનગર વિસતારમા આવીને જોઈને આ ગાયની બોડી નહી નીકળે તેવુ જણાવી સંતોષ માની પોચાપગે જવાબદારીથી છટકીને નીકળી ગયા હતા ત્યારે તાજેતરમા રમજાનનો પવિત્રમાસ શરુ થવાનો હોવાથી જોન્સનગરમા રહેતા મુસ્લીમ બીરાદરોને રોઝા રાખવામા ખુબજ તકલીફ વેઠવી પડે તેવી હાલત હોવા છતા અને મોરબી નગરપાલીકા તંત્રને રજુઆત કરવા છતા આખ આડા કાન કર્યા બાદ આ ધટનાના સમાચાર પ્રસિધ્ધ થયાની સાથે જ મૃતક ગાયને ખસેડાતા લતાવાસીઓએ રાહતનો દમ લીધો હતો