
મોરબી વાવડીરોડ પર આવેલ શ્રીજીપાર્ક કા રાજાનુ હિતેશભાઈ કુંડારીયા સહિતના લતાવાસીઓએ ગણપતીબાપા મોરીયાના નારાઓ સાથે વાજતે ગાજતે વિસર્જન કર્યુ
હિતેશભાઈ કેશવલાલ કુંડારીયા અને રાજેશભાઈ રમેશભાઈ લાંધણોજાના ધરે ગણપતિજીના પંડાલમા દશ દિવસ સુધી આરતી પુજા પ્રસાદનુ આયોજન કરાયુ હતુ
મોરબી વાવડીરોડ પર આવેલ શ્રીજી સોસાયટી શેરી નંબર બે મા હિતેશભાઈ કેશવલાલ કુંડારીયા અને રાજેશભાઈ રમેશભાઈ લાંધણોજાએ ધરે પંડાલ રાખી દશ દિવસ સુધી સવાર સાંજ આરતી પુજા અર્ચના સાથે સાથે છપ્પનભોગના મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સોસાયટીના શ્રધ્ધાળુઓએ બહોળી સંખ્યામા હાજરી આપી હતી
ત્યારે પંડાલના દશ દિવસ પુર્ણ થતા શ્રીજીપાર્ક કા રાજા ગણેશજીની મુર્તિનુ વિસર્જન કરવાનો સમય આવી જતા ગણપતીબાપા મોરીયાના નારાઓ સાથે શ્રીજી સોસાયટી થી મચ્છુ નદી સુધી પ્રસાદ વિતરણ કરી વાજતે ગાજતે પગપાળા ચાલીને ગણેશજીની મુર્તિનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ