માળીયા મિંયાણાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરાહનિય કામગીરી સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટમા ત્રણ સગર્ભા બહેનની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી માનવતા મહેકાવી

માળીયા મિંયાણાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સરાહનિય કામગીરી સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટમા ત્રણ સગર્ભા બહેનની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી માનવતા મહેકાવી

સંભવિત બિપરજોય વાવાઝોડા અંતર્ગત માળીયા મિંયાણાના સરવડ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ,મોરબી
માળીયા ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા ,મોરબી પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મેડમ ,માનનીય કલેકટર જી.ટી.પંડ્યા ,માનનીય ડીડીઓ ડી.ડી.જાડેજા ,પોલીસ અધિક્ષક રાહુલત્રિપાઠી,જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા,અન્ય આગેવાનો પ્રાંતઅધિકારી હર્ષદીપ આચાર્ય સી.ડી.એચ.ઓ ડો.કવિતાબેન દવે દ્વારા મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના પ્રાથમિક.આરોગ્ય કેન્દ્ર સરવડ ની મુલાકાત લેવામાં આવી હતી. અને બીપરજોય વાવાઝોડા ને લગત કરવાની થતી કામગીરી નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.એ સમયે બિપરજોય વાવાઝોડાની ગંભીરતા ને ધ્યાને લેતા જે સગર્ભાબહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા ૩ સગર્ભા બહેનોને પ્રાથમિક.આરોગ્ય.કેન્દ્ર સરવડ ખાતે એડમિટ કરવામાં આવેલ હતા.અને માનનીય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ,મોરબી માળિયા ના ધારાસભ્ય શ્રી,પ્રભારી સચિવશ્રી,કલેકટરસાહેબ,પોલીસ અધિક્ષકશ્રી,ડીડીઓ સાહેબ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી,પ્રાંત અધિકારી શ્રી અને સી.ડી.એચ.ઓ.શ્રી , ટીએચઓ માળીયા મિંયાણા દ્વારા સગર્ભા બહેનો ની મુલાકાત કરવામાં આવી હતી જેમા બે દેવગઢ અને એક કુંતાસીના સગર્ભા બહેની ત્રણેયની પ્રાથમિક.આરોગ્ય.કેન્દ્ર સરવડના મેડિકલ ઓફિસર શ્રી ડો નિરાલી ભાટીયા ,નર્સિંગ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમય ત્રણેય બાળકો અને તેની માતાઓની તબિયત તંદુરસ્ત છે તેવુ પંકજભાઈએ જણાવ્યુ હતુ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here