
માળીયામિંયાણાના વેણાસર ગામે બિપોરજોય વાવાઝોડા બાદ સ્થળાંતરિત અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક અસરથી કેશ ડોલ્સની ચુકવણી
માળીયા મિંયાણા ગોપાલ ઠાકોર દ્રારા
માળીયામિંયાણાના રણકાંઠે આવેલા વેણાસર ગામે આજરોજ બિપોરજોય વાવાઝોડામાં સ્થળાંતરિત કરાયેલા અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકારની જાહેરાત બાદ તાત્કાલિક કેસ ડોલ્સની ચુકવણી કરવામાં આવી હતી જાણવા મળતી વિગત મુજબ બિપોરજોય વાવાઝોડામાં સ્થળાંતરિત લોકોને વાવાઝોડુ ગયા બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક કેસ ડોલ્સ ચુકવણી કરવાની જાહેરાત કરી હતી જેમા રાજ્ય સરકાર દ્વારા મહત્તમ પાંચ દિવસની મર્યાદામાં પુખ્તવયના વ્યક્તિને રૂ.૧૦૦ અને બાળકને રૂ.૬૦ કેસ ડોલ્સ ચુકવવાની જાહેરાત કરી હતી જેથી વેણાસર ગામે રણકાંઠે વસ્તા માછીમારોને ગામની શાળામાં સુરક્ષિત સ્થળે ખસેડયા હતા જેને આજરોજ વેણાસર ગ્રામ પંચાયત ખાતે સરપંચ અરજણભાઈ હુંબલ અને તલાટી મંત્રી બ્રિજેશ કાવઠીયા માળીયા મામલતદાર કચેરીના સરકારી અધિકારીની આગેવાની હેઠળ આશ્રિતોને કેસ ડોલ્સની રોકડ રકમની સહાય ચુકવી હતી