માળીયામિંયાણાના નવલખી બંદર નજીક આવેલા જુમ્માવાડી વસાહતમાં બિપોરજોય વાવાઝોડાએ તારાજી સર્જી માછીમારોના રહેઠાણ તહેસ નહસ કરી નાખતા રડી પડયા..જુઓ વીડીયો

માળીયામિંયાણાના નવલખી બંદર નજીક આવેલા જુમ્માવાડી વસાહતમાં બિપોરજોય વાવાઝોડાએ તારાજી સર્જી માછીમારોના રહેઠાણ તહેસ નહસ કરી નાખતા રડી પડયા..જુઓ વીડીયો

માછીમારોની ધરવખરી અનાજ માછીમારોની બોટ જાળી સિમેન્ટના બનાવેલા મકાનોને નુકશાન થતા ઉપર આભ નીચે ધરતી જેવી પરિસ્થતિ સર્જાઈ ભીની આંખે તારાજીનું દર્દ કોન સાંભળશે ?

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નવલખી બંદર નજીક આવેલા જુમ્માવાડી વસાહતમાં બિપોરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી જેના કારણે માછીમારોના કાચા પાકા મકાનોને ભારે નુકસાની વેઠવી પડી છે કચ્છ સહીત બિપોરજોય વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં અસર બતાવી તાંડવ સાથે કહેર વર્તાવ્યો હતો જે કુદરતી આફતથી મોરબી જિલ્લાના નવલખી બંદર આસપાસ ભારે અસર દેખાઈ હતી જેમાં નવલખી બંદર નજીક આવેલા જુમ્માવાડી વસાહતમાં રહેતા ત્રણસો જેટલા પરીવારોને બિપોરજોયના ભય ઓથાર તંત્રએ સંભવિત વાવાઝોડાના ભાગરૂપે ૩૦૦ જેટલા માછીમારોને સહી સલામત ન્યુ નવલખી વવાણીયા ગામે સ્થળાંતર કર્યા હતા પરંતુ તેઓના જુમ્માવાડી વસાહતમાં આવેલા પાકા સિમેન્ટના બનાવેલા મકાનોને ભારે વરસાદની સાથે ત્રાટકેલા ૯૦ કીલોમીટરની ઝડપે બિપોરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી દેતા નુકસાની થઈ હતી નવલખી બંદર પાસે જુમ્માવાડી વસાહતમાં રહીને દરીયો ખેડી ગરીબ પરિવારો માછીમારી કરીને પરીવારનુ ગુજરાન ચલાવતા સાગરખેડુના સિમેન્ટના પતરાથી બનાવેલા મકાનો માછીમારીના સાધનો ધરવખરી વાહનો સહિતને મોટુ નુકશાન થતા માછીમારોના આંખમાથી આંસુ સરી પડયા હતા કેમ કે તંત્ર દ્વારા બિપોરજોય વાવાઝોડાના પગલે માછીમારોને સાવચેતીના ભાગરૂપે વસાહત ખાલી કરી ખસી જવા સુચના આપતા જે હાથ લાગ્યુ લઈને ત્યાથી ખસી સ્થળાંતર કરી ગયા હતા જેથી પોતાના મકાનમાં અનાજ ધરવખરી વાહનો માછીમારીના સાધનો સહિતનો સમાન રેઢો મુકી પશુઓને લઈને પહેરેલા કપડે સ્થળાંતર થઈ ગયા હતા પણ કહેવાય છે ને કે જાયે તો જાયે કહા માછીમારોની રોઝીરોટી જુમ્માવાડી વસાહતમાં છે એટલે વાવાઝોડાનુ સંકટ ટળતા ફરી પાછા પશુઓને લઈને પોતાના તુટલે ફુટેલા કાદવ કીચડથી ભરેલા રહેણાંકની જગ્યાએ પાછા ફરે છે જ્યાં પહોંચતા જ વાવાઝોડાનો કહેર જોઈને રડવા લાગે છે પછી ભારે હૈયે રડતી આંખે ફરીથી પોતાના મકાનમાં ગારા કાદવ કીચડ સાફસફાઈ કરાવવા મકાન રિપેરીંગ કામમા લાગી જાય છે ત્યારે આવા ગરીબ માછીમારોને ખરેખર સ્થળ પર આવીને તત્કાલિક સર્વે કરી સાગરખેડુતોના ન્યાયહિતમાં યોગ્ય વળતર મળે તેવી માછીમાર‌ ગરીબ પરીવારોએ માંગણી કરી હતી સરકાર ચુંટણી ટાણે આવા ગરીબ લોકોના મત લઈને ચુંટાઈ છે પરંતુ આજ મતદારો ચૂંટણી ગયા પછી માત્ર માછીમારો બની જતા હોય તેમ કપરી પરિસ્થિતિમાં આ લોકોના ઝુંપડા મકાનો તરફ કોઈ નેતા ઝાંખીને જોતા નથી કે યોગ્ય વળતર અપાવવા આગળ આવતું નથી માત્ર વિકાસની વાતો કરતા અને આલીશાન બંગલામાં રહેતા નેતાઓ આવા ગરીબ ઝુંપડીમાં પતરાના મકાનોમાં રહેતા ગરીબ લોકોના આંસુની કિંમત ક્યારે સમજશે કોણ સમજશે તે વાવાઝોડની તારાજી બાદ માછીમારોની રડતી આંખ છલકતુ દર્દ જ જાણે હાલ બિપોરજોયના કહેર પછી જુમ્માવાડી વસાહતમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યાંની હાલત જોવા હજૂ કોઈ ફરક્યું નથી તે વિકાસની વાતો કરતા લોકો માટે શરમજનક બાબત છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here