મોરબીમા મહોરમના માતમના તહેવારમા મુસ્લીમ બીરાદરો હશન હુશેની રંગ છવાયો ઠેર ઠેર શબ્બીલોમા ન્યાઝ વિતરણ અને વાયેઝશરીફના ભવ્ય કાર્યક્રમો યોજાયા..જુઓ વીડીયો

મોરબીમા મહોરમના માતમના તહેવારમા મુસ્લીમ બીરાદરો હશન હુશેની રંગ છવાયો ઠેર ઠેર શબ્બીલોમા ન્યાઝ વિતરણ અને વાયેઝશરીફના ભવ્ય કાર્યક્રમો યોજાયા

માતમના તહેવારમા શબીલોમા દુધકોલડ્રીકસ સહિત શુધ્ધ શાકાહારી અવનવી વાનગીનુ હિંન્દુ મુસ્લીમ એકતા સાથે ન્યાઝ વિતરણ કરવામા આવી રહયુ છે

તાજેતરમા મહોરમનો માતમનો તહેવાર ચાલી રહયો છે જેમા હઝરત ઈમામ હશન હુશેન સહિત ૭૨ પરોવારના સભ્યોએ સચ્ચાઈને ખાતીર બાવીસ હજાર દુશમનો સાથે લડાઈ કરી શહીદી વહોરી લીધી હતી ત્યારે આ ગમના તહેવારોમા મુસ્લીમ બિરાદરો દ્રારા દુખ વ્યકત કરી આકા હઝરત ઈમામ હશન હુશેનની યાદમા ઠેર ઠેર ન્યાઝ વિતરણ અને જંગે કરબલાની દાસ્તાન સાથે વાયેઝ શરીફના કાર્યક્રમો રાખવામા આવે છે

જેમા મોરબી એસ.ટી સ્ટેન્ડ પાસે છેલ્લા ચાલીસ વર્ષથી હિંન્દુ મુસ્લીમ એકતા સાથે પંજેતની શબીલ કમીટીના અભુભાઈ અને હારુનભાઈ બને ભાઈઓ દ્રારા દરરોજ ત્રણજાતની શુધ્ધ શાકાહારી અને ચોખા ધીની અવનવી વાનગીઓનુ ન્યાઝ વિતરણ કરવામા આવી રહયુ છે આ ન્યાઝ પ્રસાદનો લાભ દરરોજ હજારથી વધારે હિન્દુ મુસ્લીમ ભાઈઓ બહેનો લઈ રહયા છે તેમજ અન્ય મુસ્લીમ વિસ્તારોમા પણ ઠેર ઠેર શબીલોમા સરબત કોલ્ડ્રીકસ સહિત ન્યાઝ વિતરણ કરવામા આવી રહયુ છે

તેમજ મહોરમના માતમના તહેવારમા મુસ્લીમ બિરાદરો દ્રારા હઝરત ઈમામ હશન હુશેનની શાનમા જંગે કરબલાની દાસ્તાન તાજી કરવા દશ દિવસ સુધી વાયેઝ શરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે જેમા ખાટકીવાસના હુશેની ચોકમા ગોંડલથી મૌલાનાને બોલાવી તેમજ કાલીકાપ્લોટમા પણ બહારથી મૌલાનાઓને બોલાવી વાયેઝ બયાન કરવામા આવી રહયુ છે ત્યારે સિપાઈવાસમા મોરબીના શહેર ખતીબ હાજી અબ્દુલ રસીદમીંયા કાદરી દ્રારા વાયેઝશરીફ બયાન કરવામા આવી રહયુ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here