
મોરબીના રામધન આશ્રમ ખાતે મહંતશ્રી ભાવેશ્વરી માં નાં જન્મ દિવસે જરુરતમંદોને રાશન કીટ અને તુલસીના રોપાનુ વિતરણ કરી અનોખી ઉજવણી કરાઈ જુઓ વીડીયો
મહંતશ્રી ભાવેશ્ર્વરીમા ના જન્મ દિવસે ગરમ ધાબળા રાશનકીટ તુલસીના રોપા વિતરણ કરી પ્રસાદનુ ભવ્ય આયોજન કરાયુ હતુ
મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલાં રામધન આશ્રમ વિવિધ ધાર્મિક તહેવારની ભકિતભાવ પૂર્વક આયોજન કરી ઉજવણીઓ કરવામા આવે છે ત્યારે રામધન આશ્રમના મહંતશ્રી ભાવેશ્વરી માં નો જન્મ દિવસ હોય જેની ઉત્સાહ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી
રામધન આશ્રમનાં મહંતશ્રી ભાવેશ્વરી માં જન્મ દિવસની ખુશીમા જન્મ દિવસ નિમિતે ભાવેશ્વરી માં તથા રામધન આશ્રમ દ્વારા જરૂરિયાતમંદોને રાશન કીટ, ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા ભક્તોને તુલસીનાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ દીવડા પ્રગટાવી પૂજા-અર્ચનાનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સાંજે ભક્તો દ્વારા રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માં નાં જન્મદિવસને લઇ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેવુ મુકેશ ભગતે યાદીમા જણાવ્યુ હતુ