
મોરબી સ્પેશીયલ પોકસો કોર્ટ દવારા આરોપી સતીષ ઝંઝવાડીયાનો નીર્દોષ છુટકારો કરાવતા યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચણીયા
આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી સતીષે લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની છે તેવુ જાણવા છતા ફરીયાદીની સગીરવયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધીને એવી મતલબની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હતી આ ફરીયાદના કામે પોલીસે આરોપી સતીષભાઈ ધુડાભાઈ ઝંઝવાડીયાની ધરપકડ કરવામાં આવેલ. આ કામના આરોપી વતી મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી જીતેનભાઈ દિલિપભાઈ અગેચાણીયા રોકાયેલ હતા.
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર તેમજ ભોગબનનારના માતા પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રીઓ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદી દવારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદ્દન નીર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરીયાદપક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નિષ્ફળ રહેલ છે. જેથી આરોપીને સજા ન કરી શકાય.તમામ દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દવારા આ કામના આરોપી ને ભારતીય દંડ સંહીતાની કલમ-૩૬૩ ૩૬૬ ૩૭૬(૨)આઈ, ૧૧૪ તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૩(એ), ૪,૯,૧૭ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે
આ કામમાં આરોપી તરફે મોરબી પ્રખ્યાત એડવોકેટ જીતેન. ડી અગેચાણીયા, દિલીપભાઈ અગેચાણીયા, જે. ડી. સોલંકી, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા રોકાયેલા હતા