
મોરબી વાવડીરોડ પર શ્રીજીપાર્ક સોસાયટીમા હઝરત ગૌસે આઝમની શાનમા વાયેઝશરીફ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન જુઓ વીડીયો
વાયેઝશરીફ ન્યાઝશરીફના કાર્યક્રમમા શ્રીજીપાર્ક સોસાયટી- રવીપાર્ક સોસાયટી અને ન્યુજનકનગર સોસાયટીના બહોળી સંખ્યામા મુસ્લીમ બીરાદરો ઉપસ્થિત રહી સવાબ હાંસીલ કરે છે
મોરબી વાવડીરોડ પર આવેલ શ્રીજીપાર્ક સોસાયટીમા આશીકે રસુલ વાયેઝ ન્યાઝ કમીટી દ્રારા હઝરત ગૌસે આઝમ દસ્તગીર પીરાનેપીરની શાનમા અગિયાર દિવસ સુધી વાયેઝશરીફ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે ત્યારે આ વાયેઝશરીફની મહેફિલમા ખલીફા એ હુઝુર શૈખુલ ઈસ્લામ સૈયદ મૌલાના અયુબબાપુની જોશીલી જુબાનથી હઝરત ગૌસપાકની શાનમા વાયેઝશરીફ બયાન કરી પીરાને પીર દસ્તગીરની જીવનશૈલી પર તેની સચ્ચાઈ ઈમાનદારીના રસ્તા પર ચાલવાની મુસ્લીમ બીરાદરોને વાયેઝશરીફ બયાન કરી સમજાવવાનો પ્રયાસ સૈયદ મૌલાના અયુબબાપુ દ્રારા કરવામા આવેછે
આ વાયેઝશરીફના કાર્યક્રમમા રાત્રીના ઈશા નમાઝ બાદ ૧૦:૦૦ કલાક થી ૧૧:૦૦ કલાક સુધી વાયેઝશરીફ બયાન કરવામા આવે છે દરરોજ અવનવી વાનગીઓના ન્યાઝશરીફ રાખવામા આવે છે જેમા શ્રીજીપાર્ક સોસાયટી- રવીપાર્ક સોસાયટી અને ન્યુજનકનગર સોસાયટીના આશરે ૪૦૦ થી વધારે ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામા હાજરી આપી સબાવ હાંસીલ કરી ન્યાઝશરીફ અને વાયેઝશરીફનો લાભ ઉઠાવે છે આ સમગ્ર વાયેઝશરીફના કાર્યક્રમમા આશીકે રસુલ વાયેઝશરીફ ન્યાઝશરીફ કમીટીના ભાઈઓ અને બહેનો ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવે છે