મોરબી પંચાસરરોડ પર આવેલ ન્યુ જનકનગર સોસાયટીમા મસ્જીદે હલીમા ગૃપ દ્રારા ગૌસપાકની ગ્યારવી શરીફના ન્યાજ અને વાયેઝશરીફનુ આયોજન

મોરબી પંચાસરરોડ પર આવેલ ન્યુ જનકનગર સોસાયટીમા મસ્જીદે હલીમા ગૃપ દ્રારા ગૌસપાકની ગ્યારવી શરીફના ન્યાજ અને વાયેઝશરીફનુ આયોજન

વરસાદી માહોલને ધ્યાને રાખી બે દિવસ અગાઉનો અગિયારમી શરીફની ન્યાઝશરીફ વાયેઝશરીફનો કાર્યક્રમ તારીખ ૨૩/૧૦/૨૦૨૪ ના રોજ બુધવારે યોજાશે જેમા ન્યુજનકનગર- શ્રીજીપાર્ક-રવિપાર્ક સોસાયટીના તમામ મુસ્લીમ બિરાદરોને શવાબ હાસીલ કરવા મસ્જીદે હલીમા ગૃપનુ ભાવભર્યુ આમંત્રણ

 

 

સૈયદના ગૌષે આઝમ પીરાને પીર દસ્તગીર અબ્દુલ કાદિર જીલાની રદીઅલ્લાહો તઆલા અન્હોની ગ્યારવી શરીફ અંગ્રેજી તારીખ ૨૩/૧૦/૨૦૨૪ ને બુધવારના રોજ સાંજે ઈશા નમાઝ બાદ મસ્જીદે હલીમાના ચોકમાં રાખવામા આવેલ છે જેમા મગરીબની નમાઝ બાદ મીલાદ શરીફ રાખી ત્યારબાદ મૌલાના યાસીનબાપુ (પેશ ઇમામ મદીના મસ્જીદ) તથા સૈયદ મૌલાના અયુબબાપુ તેમજ મૌલાના કારી મોહંમદ મહેબુબ આલમ અકબરી તકરીર ફરમાવશે

જેથી ન્યુજનકનગર રવિપાર્ક અને શ્રીજીપાર્ક સોસાયટીના તમામ મુસ્લીમ બિરાદરોએ મિલ્લાદે મહેફીલ વાયેજશરીફ ન્યાઝશરીફ હાજરી આપી સવાંબે દારેન હાંસિલ કરવા મસ્જીદે હલીમા ગૃપની નમ્ર ગુજારીશ છે

આ કાર્યક્રમમા ન્યાજમા યથા શક્તી પ્રમાણે રકમ લખાવવા માટે નીચે જણાવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે જેમા આરીફભાઇ સાંઈચા ૯૮૨૫૯૪૭૭૮૬- સાહીદભાઈ મોડ-૯૭૨૬૧૬૭૨૨૨- ઇમરાનભાઈ મોડ ૭૦૪૮૮૪૭૦૦૦

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here