
મોરબી ન્યુજનકનગર સોસાયટીમા મસ્જીદે હલીમાના ઈફતેતાહમા મશહૂર મુફતી સલમાન અઝહરીની હાજરીથી ચાહકોની ભારે ભીડ
મસ્જીદે હલીમામા મુફતી સલમાન અઝહરીએ વાયેઝ બયાન કરી વાવડીરોડ મિલનપાર્ક સોસાયટીમા હાજી મુસ્તુફાના નિવાસ સ્થાને ભોજન કરી કચ્છમા જવા રવાના થયા
મોરબી પંચાસર રોડ પર આવેલ ન્યુજનકનગર સોસાયટીમા મસ્જીદે હલીમાના ઓપનિંગ દરમ્યાન મશહુર મુફતી સલમાન અઝહરી સાહેબે હાજરી આપી મસ્જીદે હલીમામા વાયેઝશરીફ બયાન કર્યુ હતુ ત્યારે મશહુર મુફતીના દિદાર કરવા ચાહકો ઉમટી પડયા હતા અને મુફતી સલમાન અઝહરી સાહેબનુ ફૂલવર્ષાથી સ્વાગત કર્યુ હતુ
આ ઓપનિંગ દરમ્યાન મસ્જીદે હલીમા ગૃપ દ્રારા સુલેહ શાંતી જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામા આવી હતી અને મુફતી સલમાન અઝહરી મસ્જીદની મુલાકાત લીધા બાદ વાવડીરોડ મિલનપાર્કમા હાજી મુસ્તુફા વડગામાના નિવાસ સ્થાને ભોજન કરી કચ્છમા જવા રવાના થયા હતા